Friday, January 23, 2026

SG હાઈવેના ઓવરબ્રિજ ઉપરથી ડબલ ડેકર AC બસ દોડાવાતા લોકોને મુશ્કેલીઓ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત ST દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે SG હાઈવે પરથી ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગરથી સરખેજ જતી ST ની ડબલ ડેકર તેમજ AC બસો ઓવરબ્રીજ ઉપરથી જ પસાર થતી હોવાથી બ્રિજ નીચે બનાવેલા ST સ્ટેન્ડ પર બસની રાહમાં ઉભેલા મુસાફરોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી રહી છે. ST નિગમના નિયમ મુજબ બસોને ઓવરબ્રીજ ઉપરથી લઇ જવાની નથી. તેમ છતાં ગાંધીનગરથી સરખેજ રોડ ઉપર દોડતી ડબલ ડેકર અને AC બસો ઓવરબ્રીજ ઉપરથી પસાર થતાં પાસ હોવા છતાં મુસાફરોને સમયસર બસ નહી મળવાથી ખાનગી વાહનોમાં પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે ઓવરબ્રીજ નીચે નિયત સ્ટેન્ડ પર બસ લઈ જવાની પ્રવાસીઓમાં માગ ઊઠી છે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજ અપડાઉન કરતા લોકોની ફરિયાદ મુજબ, SG હાઈવે પર સર્વિસ રોડ ઉપર બનાવેલા બસ સ્ટેન્ડ ખાતેથી મુસાફરોને લેવા તેમજ ઉતારવાનો નિયમ છે. બસોને ઓવરબ્રીજ ઉપરથી નહી લઇ જવાનો આદેશ હોવા છતાં તેની અમલવારી કરવામાં આવતી નથી.જેથી સર્વિસ રોડ ઉપર બનાવેલા બસ સ્ટેન્ડ ખાતે બસ નહી મળવાથી પાસ ધારકોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી રહી છે. ગાંધીનગર ડેપોમાંથી દોડતી ઇલેક્ટ્રીક ડબલ ડેકર અને ઇલેક્ટ્રીક બસોના ચાલકો તેનું પાલન કરતા નથી. ઉપરાંત કલોલ ડેપોની બસો પણ ગોતા અને સરખેજ ઓવરબ્રીજ ઉપરથી પસાર થતી હોય છે. આથી આવા બસના ડ્રાઇવર અને કંડક્ટરની સામે પગલાં લેવામાં આવી તેવી આશા મુસાફરો અને વિદ્યાર્થીઓ રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતો પાસ યોજનાનો લાભ લઇ રહ્યા છે.

ગુજરાત ST નિગમ દ્વારા બસોને SG હાઈવે પરના ઓવરબ્રીજ ઉપરથી નહી લઇ જવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત ડેપો મેનેજરોને ઓવરબ્રીજ ઉપરથી બસોને લઇ જવામાં આવે છે કે નહી તે અંગેની આકસ્મિક તપાસ કરીને આદેશનું પાલન નહી કરનાર ડ્રાઇવર કે કંડક્ટરની સામે નિયમોનુસાર પગલાં લેવાનો ST નિગમે આદેશ કર્યો છે. પરંતું ST નિગમના આદેશનું પાલન રાજ્યના પાટનગર ગાંધીનગર ડેપોમાંથી ઉપડતી ગાંધીનગર સરખેજની ડબલ ડેકર અને AC બસોના ચાલકો દ્વારા પાલન કરવામાં આવતું નથી. જોકે મુસાફરોએ ઓવરબ્રીજ ઉપરથી જતી ડબલ ડેકર અને ઇલેક્ટ્રીક AC બસોના ચાલકોની સામે પગલાં લેવાની માગણી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...