Thursday, January 15, 2026

અમદાવાદના વસ્ત્રાપુર લેકનું કરાશે બ્યુટીફીકેશન, ફૂડ કોર્ટમાં 55 ફૂડ સ્ટોલ અને પાર્કિંગ સહિતની સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સૌથી મોટુ વસ્ત્રાપુર લેકની ખુબસુરતીમાં વધારો થવા જઈ રહ્યો છે. AMC દ્વારા વસ્રાપુર લેકમાં આવેલ એમ્ફી થીયેટરને ફુડ કોર્ટમાં ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે. અંદાજીત 5 કરોડની માતબર રકમથી એમ્ફી થીયેટરને ફુડ કોર્ટમાં ડેવલપ કરાશે.

AMC ના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે વસ્ત્રાપુર તળાવ-ગાર્ડનનું રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે,વસ્ત્રાપુર તળાવમાં ઉંદરનો ત્રાસ વધી જતા તળાવની ફરતે આવેલા વોક વે સહિત દિવાલો અને જમીન પર ઉંદરના ત્રાસથી દર કરી દેવામાં આવ્યા હતા.જેના પગલે મોટી સંખ્યામાં અહી આવતા લોકો માટે માથાનો દુખાવો થયો બન્યો હતો.

AMC દ્વારા વસ્રાપુર તળાવના લેક સહિત આસપાસના ગાર્ડન ડેવલપ કરવાનું કામ અગાઉથી જ ચાલી રહ્યુ છે. ત્યારે અહી આવતા મુલાકાતીઓને ફુડ કોર્ટ મળી રહે તે માટે AMC દ્વારા એમ્ફી થીયેટરની જગ્યાએ ફુટ કોર્ટ ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે.જેમાં 55 જેટલા ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે. ટેન્ડરપ્રક્રિયા કરી ફૂડ સ્ટોલ ભાડે આપવામાં આવશે. અપર અને લોઅર વોક-વે પર કાચના પડમાં વધારો, આરસીસી દીવાલ અને તળાવમાં જ્યાં ઢાળ આવેલો છે એમાં મજબૂત આરસીસી બીમ ગ્રિડ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે.

વસ્રાપુર એમ્ફી થીયેટરનો એરિયા 5580 ચોમી છે. એમ્ફી થીયેટરમાં ઉપરોક્ત જણાવેલ ટેબલમાં દર્શાવ્યા મુજબ ખુબ જ નહિવત માત્રામાં બુકીંગ થાય છે. તેથી આ એરિયામાં ફુડ પાર્ક બનાવવાનું વિભાગે આયોજન કરેલ છે.

પ્લોટ એરિયા – 5580 ચોમી
કુલ ફુડ સ્ટોલ – 55 નંગ
ટોઇલેટ બ્લોક એરિયા – 65 ચોમી
પાર્કિગ પ્લોટ એરિયા – 3703 ચોમી
ડાયનીગ એરિયા – 700 ચોમી
વિશિષ્ટ પ્રકારના ટેન્સાઇલ સ્ટ્રક્ચર કેનોપી વર્ક

નોંધનીય છે કે, ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં ઓડા દ્વારા વર્ષ 2003 પહેલા લેક ડેવલપ કરાયુ હતું. પરંતુ લેકમાં ઉંદરની ત્રાસથી તળાવ ઉંદરો દ્વારા કોતરી ખવાના તર્ક સાથે લેકને ફરી ડેવલપ કરવા ટેન્ડર જાહેર કરાયુ હતું. પરંતે આ ટેન્ડરમાં પણ નવા સુધારા કરી નવેસરથી રિનોવેશન તેમજ ડેવલપ કરવાના કામના પાછળ રૂપિયા 8 કરોડની જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવશે.21 વર્ષ જૂના વસ્ત્રાપુર તળાવને સુંદર બનાવવા માટે નાગરિકો દ્વારા પણ માગ ઊઠી રહી હતી, જેના પગલે તળાવને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...