Thursday, March 5, 2026

અમદાવાદીઓ સાવધાન ! માણેકચોકના બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની પિત્ઝાની ગ્રેવીના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ

spot_img
Share

અમદાવાદ : જો તમે પણ રાતના માણેકચોક બજારમાં ખાવા-પીવા માટે જતાં હોવ તો સાવચેત થઈ જજો કારણ કે, માણેકચોકમાં મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં હલકી ગુણવતાની વસ્તુઓ વપરાતી હોવાનું સામે આવ્યું છે. AMC ફૂડ વિભાગે ચોકમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરતાં 356 કિલો અને 276 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી આવ્યો. તદુપરાંત બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની પીઝાંની ગ્રેવી હલકી ગુણવત્તાની વાપરતાં હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ખાણીપીણીના પ્રખ્યાત બજાર ગણાતા માણેકચોકમાં ભાજીપાવથી લઈ ઢોંસા સહિતની ચીજવસ્તુઓ વગેરેનું વેચાણ થાય છે ત્યારે AMC ફૂડ વિભાગના ચેકીંગમાં માણેકચોક ખાણીપીણી ચીજવસ્તુઓમાં બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની પિત્ઝાની ગ્રેવી હલકી ગુણવત્તાની વાપરતાં હોવાનું સામે આવ્યું છે. અહીં ભાજીપાવથી લઈ ઢોંસા સહિતની ચીજવસ્તુઓ વગેરેનું વેચાણ થાય છે ત્યારે આ ચોકમાંથી 5 જગ્યાએથી કપાસિયા અને સીંગતેલના સેમ્પલ હલકી ગુણવત્તાના નીકળ્યા છે.

કોર્પોરેશનના ફૂડ વિભાગે છેલ્લા એક અઠવાડિયામાં વિવિધ વિસ્તારોમાંથી ફરાળી પ્રોડક્ટના 22, દૂધ અને દૂધની બનાવટના 5, મીઠાઈના 15, બેકરી પ્રોડક્ટના 2, મસાલાના 1 અને અન્ય ખાદ્યપદાર્થના 20 એમ મળી કુલ 65 નમૂના લેવાયા છે. 141 અેકમોને નોટિસ ફટકારી 356 કિલો બિનઆરોગ્યપ્રદે અને 276 લિટર ખાદ્યપદાર્થનો નાશ કર્યો હતો. 2.97 લાખ વહીવટી વસૂલ કર્યો હતો. સરખેજ, વસ્ત્રાલમાંથી લીધેલા તેલના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...