Friday, May 1, 2026

અમદાવાદમાં જય સીયારામ પેંડા ફૂગવાળા નીકળતા ફૂડ વિભાગમાં ગ્રાહકની ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓ અખાદ્ય હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત શહેરીજનને ફૂગવાળા પેંડા મળ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં શારદા મંદિર પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની દુકાનમાંથી ખરીદેલા 3 કિલો પેંડાના તમામ બોક્સમાં ફૂગવાળા પેંડા નીકળ્યા હતા. શનિવારે ખરીદેલા પેંડા આજે સવારે પેકેટ ખોલતાની સાથે જ તેમાં ફૂગ વળેલી હતી. ગ્રાહક મહિલાએ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પાલડી વિસ્તારમાં રહેતા એક મહિલાએ શનિવારે જુના શારદા મંદિર રોડ ઉપર પંચશીલ પાસે આવેલી જય સીયારામ પેંડાવાલા નામની પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી 3 કિલો પેંડાના છ બોક્સ લીધા હતા. આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી સવારે 10 વાગ્યાની આસપાસ જ્યારે તેઓએ પેંડાના બોક્સ ખોલ્યા તો તમામ પેંડા પર ફૂગ વળેલી જોવા મળી હતી. શનિવારે ખરીદેલા પેંડા સોમવારે ખોલતા ફૂગ વાળા હતા. રક્ષાબંધનના તહેવાર માટે જે પેંડા ખરીદ્યા હતા તે ફૂગ વળી ગયેલા હતા તેથી તેઓએ બીજા પેંડા ખરીદવા પડ્યા હતા.

ગ્રાહક મહિલાએ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા આ મામલે જય સીયારામ પેંડાવાલા નામની દુકાનમાં તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, શહેરમાં અવારનવાર અનેક મીઠાઈ અને ફાસ્ટ ફૂડની દુકાનમાં અખાધ્ય ચીજ વસ્તુઓ મળી આવે છે. હાલમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ખાણીપીણી અને મીઠાઈની ચીજ વસ્તુઓમાં અખાધ્ય વસ્તુનો ઉપયોગ થતો હોવાથી જલદી બગડી જતી હોય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ ચેકિંગને લઇને સવાલ ઉભા થયા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...