Wednesday, March 4, 2026

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : નવરાત્રી પર્વમાં રાત્રે બે વાગ્યા સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : હાલ ચાલી રહેલ નવરાત્રી પર્વમાં રાત્રિના સમયે ઠેર ઠેર ટ્રાફિકજામની સ્થિતી જોવા મળી છે. ત્યારે આ પરેશાનીને લઇ અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું જાહેર કર્યું હતું. જેમાં તેઓએ સવારના 8 થી રાત્રીના 2 વાગ્યા સુધીમાં ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરાત્રિ દરમિયાન શહેરના એસજી હાઈવે અને એસપી રીંગ રોડ સહિતના વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ રહે છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 12 ઓક્ટોબર મોડી રાત સુધી હવે સવારે 8 થી રાત્રે બે વાગ્યા સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. છેલ્લા ઘણા દિવસોથી અને નવરાત્રિના તહેવારના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી હતી. ત્યારે આ સમસ્યાને ટાળવા માટે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતુ.

33 પેસેન્જરથી ઓછી કેપેસિટી ધરાવતા વાહનો શહેરમાં અવરજવાર કરી શકે છે, પરંતુ ભારે વાહનો જેવા કે ટ્રેક્ટર, ટોલી 33 પેસેન્જરથી વધુ કેપેસિટી ધરાવતા પેસેન્જર વાહનો વગેરે પર દિવસ દરમિયાન અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી 12 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે, ત્યા સુધી ભારે વાહનો રાત્રિના 8 થી 2 વાગ્યા સુદી શહેરમાં પ્રવેશ કરી શકશે નહી. આ નિર્ણયના કારણે અમદાવાદના મુખ્ય માર્ગો પરનો ટ્રાફિકજામ ઘટશે. જેને લઇ વાહનચાલકોને પરેશાની થી છુટકારો મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...