Tuesday, January 20, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે “વિકાસ સપ્તાહ”ની ઉજવણી, 75000 વિદ્યાર્થી અને શિક્ષકોએ પ્રતિજ્ઞા લીઘી

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા.ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે 07 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે ઘાટલોડિયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને સરકારી પોલિટેક્નિક કોલેજ આંબાવાડીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ ઉધોગ સાહસિકતાનું જ્ઞાન મેળવે ઉદ્દેશથી ટોક શૉ વેબિનારના માધ્યમથી યોજાયો, જેમાં રાજય સરકાર તરફથી મળતી વિવિધ સહાયથી પરિચિત થઈ વિદ્યાર્થી કાળથીજ પોતાનું સ્ટાર્ટ અપ શરુ કરવા પ્રેરાય તે હેતુસર પ્રેરણા રૂપ મહિલા મનીષાબેન ભાવસાર (લખપતિ દીદી)કે જેઓએ સરકારી સહાય મેળવી મિલટ ફૂડ પ્રોડક્ટનું સ્ટાર્ટ અપ કરેલ છે અને પોલિટેક્નિક કોલેજના યુવા વિદ્યાર્થીઓ…ધ્રુવ પંચાલ કે જેઓએ એસ્ટ્રોનોમી આધારિત સાબુ, પરફ્યુમ, ધૂપ વગેરેનું સ્ટાર્ટ અપ કરેલ છે,પટેલ સુમિત અને પટેલ દક્ષ કે જેઓએ નિત્ય જળ નામનું બગીચામાં પાણી આપવાનું ડિવાઇસ બનાવેલ તથા ઋષિ સોની અને સુજ્ય પટેલ કે જેઓએ અંભ નામની પ્રોડક્ટ કે જેમાં તેઓએ ઓર્ગનિક વેસ્ટમાંથી કેરેટ કે અન્ય કેરી કરવાના સાધનો બનાવવાનું સ્ટાર્ટ અપ ssip તથા અન્ય સરકારી સહાયથી શરુ કર્યા અંગેની વિગતવાર માહિતી આપી હતી.

વેબિનારના માધ્યમથી યોજાયેલ ટોક શૉ જેમાં જિલ્લાના ધોરણ 9 થી 12 ના અંદાજિત 75,000 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જોડાઈ સ્ટાર્ટ અપ કેવી રીતે શરુ કરવું તેમાં સરકારશ્રી તરફથી શું સહાય મળે તે અંગે માર્ગદર્શન મેળવી પ્રેરિત થઈ વિકાસ સપ્તાહ 2024 ની ઉજવણી કરી અને કાર્યક્રમના અંતે તમામ 75,000 વિદ્યાર્થી અને શિક્ષકોએ એક સાથે ઓનલાઇન માધ્યમથી ભારત વિકાસની પ્રતિજ્ઞા લીઘી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણધિકારી કૃપાબેન જહા, બોર્ડ સદસ્ય જે. વી. પટેલ, શિક્ષણ વિદ ગુણવંત ભાઈ પટેલ, સરકારી પોલિટેક્નિકના વ્યાખ્યતા મતિ ઝંખનાબેન ઉર્વીશભાઈ તથા અન્ય ઉપસ્થિત રહ્યાં હતા…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...