Wednesday, March 4, 2026

અમદાવાદની આ શાળાની ઘોર બેદરકારી! એક ભૂલના કારણે થઈ શકે છે 20 લાખનો દંડ, DEO એ નોટિસ કાઢી!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘોર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.DEOની મંજૂરી વિના શાળાએ વિદ્યાર્થીઓને એક પ્રવાસનું આયોજન કરાવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓને વોટર પાર્કમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે ગત વર્ષે વડોદરાના હરણી બોટ કાંડની ઘટના શાળાઓને પ્રવાસના આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી લેવી ફરજિયાત છે તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર જ શાળાએ પ્રવાસનું આયોજન કરતા શાળા વિવાદમાં સપડાઈ છે. ગત વર્ષે વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા.

આ ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી શાળાના પ્રવાસના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી એટલું જ નહીં શાળાઓના પ્રવાસ માટે એક એસઓપી બનાવવાની પણ વાત કરવામાં આવી હતી. જે SOP હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ સાથે જ જે શાળાઓએ પ્રવાસનું આયોજન કરવાનું હોય તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. તેમ છતાં અમદાવાદના મણિનગર વિસ્તારની સેવનથ ડે સ્કૂલ દ્વારા ગત 29 સપ્ટેમ્બરના રોજ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રવાસમાં ધોરણ 9 થી 11ના 200 બાળકોને મહેસાણાના વોટરપાર્કમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા કરવામાં આવેલા આ પ્રવાસના આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહીં હોવાથી સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સ્કૂલ સંચાલકોને પૂછતા તેઓએ જણાવ્યું કે, તેઓએ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારીમાં અરજી કરી હતી, પરંતુ કચેરી દ્વારા તેઓને કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી એટલે કે તેઓએ સ્વીકાર્યું કે વિદ્યાર્થીઓને મંજૂરી વગર જ પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા.

ત્યારે શાળાની આ બેદરકારી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મંજૂરી લેવાની ફરજિયાત છે તેમ છતાં DEOના સર્ક્યુલરનો અનાદર કરતા અમદાવાદની આ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે. વિદ્યાર્થી દીઠ શાળાને 10 હજારનો દંડ કેમ ન કરવો તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. પ્રવાસ બાદ કેટલાક વિદ્યાર્થીઓનું આરોગ્ય બગળ્યું હોવાનું પણ સામે આવ્યું છે.મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરનાર સેવનથ ડે સ્કુલ સામે DEO પોલીસ ફરિયાદ કરશે. સ્કૂલને વિદ્યાર્થી દીઠ 10 હજારનો દંડ થઈ શકે છે તે મુજબ 200 વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જવા બદલ 20 લાખનો દંડ થઇ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...