Friday, January 16, 2026

અમદાવાદની આ શાળાની ઘોર બેદરકારી! એક ભૂલના કારણે થઈ શકે છે 20 લાખનો દંડ, DEO એ નોટિસ કાઢી!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘોર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.DEOની મંજૂરી વિના શાળાએ વિદ્યાર્થીઓને એક પ્રવાસનું આયોજન કરાવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓને વોટર પાર્કમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે ગત વર્ષે વડોદરાના હરણી બોટ કાંડની ઘટના શાળાઓને પ્રવાસના આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી લેવી ફરજિયાત છે તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર જ શાળાએ પ્રવાસનું આયોજન કરતા શાળા વિવાદમાં સપડાઈ છે. ગત વર્ષે વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા.

આ ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી શાળાના પ્રવાસના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી એટલું જ નહીં શાળાઓના પ્રવાસ માટે એક એસઓપી બનાવવાની પણ વાત કરવામાં આવી હતી. જે SOP હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ સાથે જ જે શાળાઓએ પ્રવાસનું આયોજન કરવાનું હોય તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. તેમ છતાં અમદાવાદના મણિનગર વિસ્તારની સેવનથ ડે સ્કૂલ દ્વારા ગત 29 સપ્ટેમ્બરના રોજ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રવાસમાં ધોરણ 9 થી 11ના 200 બાળકોને મહેસાણાના વોટરપાર્કમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા કરવામાં આવેલા આ પ્રવાસના આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહીં હોવાથી સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સ્કૂલ સંચાલકોને પૂછતા તેઓએ જણાવ્યું કે, તેઓએ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારીમાં અરજી કરી હતી, પરંતુ કચેરી દ્વારા તેઓને કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી એટલે કે તેઓએ સ્વીકાર્યું કે વિદ્યાર્થીઓને મંજૂરી વગર જ પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા.

ત્યારે શાળાની આ બેદરકારી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મંજૂરી લેવાની ફરજિયાત છે તેમ છતાં DEOના સર્ક્યુલરનો અનાદર કરતા અમદાવાદની આ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે. વિદ્યાર્થી દીઠ શાળાને 10 હજારનો દંડ કેમ ન કરવો તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. પ્રવાસ બાદ કેટલાક વિદ્યાર્થીઓનું આરોગ્ય બગળ્યું હોવાનું પણ સામે આવ્યું છે.મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરનાર સેવનથ ડે સ્કુલ સામે DEO પોલીસ ફરિયાદ કરશે. સ્કૂલને વિદ્યાર્થી દીઠ 10 હજારનો દંડ થઈ શકે છે તે મુજબ 200 વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જવા બદલ 20 લાખનો દંડ થઇ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...