Wednesday, March 4, 2026

અમદાવાદના આ બ્રિજના રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા બંને તરફનો વાહન વ્યવહાર શરૂ કરાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો વિશાલાથી નારોલ તરફનો શાસ્ત્રી બ્રિજ છેલ્લા 15 મહિનાથી રીપેરીંગના કારણે એક તરફના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. રીપેરીંગ કામગીરી પૂર્ણ થતાની સાથે જ બ્રિજનો અન્ય તરફનો ભાગ પણ વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે. જેથી બંને તરફ હવે વાહનો અવરજવર કરી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે વિશાલા સર્કલથી નારોલ ને જોડતા શાસ્ત્રી ઓવરબ્રિજના રીપેરીંગની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી હતી. ફેબ્રુઆરી મહિનામાં કામગીરી પૂર્ણ થવાની હતી પરંતુ, ધીમી કામગીરી ચાલતી હતી. એક તરફનો બ્રિજ ચાલુ હતો ને આમને સામને વાહનોની અવર-જવર થતી હતી ત્યારે ટ્રાફિકજામ થતો હતો. પરંતુ અનેક વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં હતાં ત્યારે લોકોને તકલીફનો સામનો કરવો પડતો હતો. કલેકટર ની સંકલન સમિતિમાં નેશનલ હાઈવે ના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી ત્યારબાદ બ્રિજ ઉપર અધિકારીઓને સાથે રાખી ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

દિવાળી પહેલા લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે તેના માટે જેટલા માણસો કામે લગાડવા પડે તે લગાવી અને ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેના માટેની રજૂઆત બાદ આખરે બ્રિજના રીપેરીંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ વાહન વ્યવહારના કારણે રોડ પર ખાડા પડી ગયા છે તેમજ તે ભાગમાં પણ વચ્ચેના જોઈન્ટ સરખા કરવાના છે. જે કામગીરી હવે દિવાળી બાદ શરૂ કરવા માટેની સૂચના નેશનલ હાઈવેના અધિકારીઓને આપવામાં આવી છે દિવાળી દરમિયાન જો કામ થશે તો ફરીથી ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થશે તેના કારણે દિવાળી બાદ આ બ્રિજ ની કામગીરી શરૂ કરાય તેમ જણાવ્યું છે હવે આ ઓવરબ્રિજ શરૂ થતા લોકોમાં પણ ખુશી ફેલાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...