Tuesday, January 20, 2026

અમદાવાદના આ બ્રિજના રીપેરીંગની કામગીરી પૂર્ણ થતા બંને તરફનો વાહન વ્યવહાર શરૂ કરાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો વિશાલાથી નારોલ તરફનો શાસ્ત્રી બ્રિજ છેલ્લા 15 મહિનાથી રીપેરીંગના કારણે એક તરફના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. રીપેરીંગ કામગીરી પૂર્ણ થતાની સાથે જ બ્રિજનો અન્ય તરફનો ભાગ પણ વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે. જેથી બંને તરફ હવે વાહનો અવરજવર કરી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે વિશાલા સર્કલથી નારોલ ને જોડતા શાસ્ત્રી ઓવરબ્રિજના રીપેરીંગની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી હતી. ફેબ્રુઆરી મહિનામાં કામગીરી પૂર્ણ થવાની હતી પરંતુ, ધીમી કામગીરી ચાલતી હતી. એક તરફનો બ્રિજ ચાલુ હતો ને આમને સામને વાહનોની અવર-જવર થતી હતી ત્યારે ટ્રાફિકજામ થતો હતો. પરંતુ અનેક વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં હતાં ત્યારે લોકોને તકલીફનો સામનો કરવો પડતો હતો. કલેકટર ની સંકલન સમિતિમાં નેશનલ હાઈવે ના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી ત્યારબાદ બ્રિજ ઉપર અધિકારીઓને સાથે રાખી ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

દિવાળી પહેલા લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે તેના માટે જેટલા માણસો કામે લગાડવા પડે તે લગાવી અને ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેના માટેની રજૂઆત બાદ આખરે બ્રિજના રીપેરીંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ વાહન વ્યવહારના કારણે રોડ પર ખાડા પડી ગયા છે તેમજ તે ભાગમાં પણ વચ્ચેના જોઈન્ટ સરખા કરવાના છે. જે કામગીરી હવે દિવાળી બાદ શરૂ કરવા માટેની સૂચના નેશનલ હાઈવેના અધિકારીઓને આપવામાં આવી છે દિવાળી દરમિયાન જો કામ થશે તો ફરીથી ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થશે તેના કારણે દિવાળી બાદ આ બ્રિજ ની કામગીરી શરૂ કરાય તેમ જણાવ્યું છે હવે આ ઓવરબ્રિજ શરૂ થતા લોકોમાં પણ ખુશી ફેલાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...