Thursday, January 22, 2026

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ-અધિકારીઓએ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ, કમિશનરે જાહેર કર્યો પરિપત્ર

spot_img
Share

અમદાવાદ : શહેરમાં હવે પોલીસ કર્મચારીઓ, અધિકારીઓએ અને સિવિલિયન કર્મચારીઓએ ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં લખ્યું છે કે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેમની નીચેનો સ્ટાફ ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરે છે કે નહીં તેની યોગ્ય ચકાસણી કરવાની રહેશે. આ સાથે પરિપત્રમાં કહેવાયું છે કે ટુ-વ્હીલર વાહન ચલાવી પોલીસ કમિશનરની કચેરીએ હેલ્મેટ પહેર્યા વગર આવનાર પોલીસ કર્મચારીને કમિશનર કચેરીમાં પ્રવેશ નહીં મળે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ​​​​​​​પોલીસ કમિશનરે આ મામલે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગેની સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે. તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોથી લઈને સુપરવાઇઝરી અધિકારીઓને આ સૂચનાનો અમલ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને જો આ સૂચનાનું પાલન ન થાય તો એમવી એક્ટ હેઠળ તેમની વિરુદ્ધ દંડ કાર્યવાહી કરવાની રહેશે અને શિક્ષાત્મક પગલાં પણ લેવા માટે જણાવવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતાં પોલીસ અધિકારી/કર્મચારી/સિવિલિયન સ્ટાફ કચેરી ખાતે ટુ-વ્હીલર ચલાવીને આવતાં સમયે ફરજિયાતપણે હેલ્મેટ પહેરે તે અંગેની ચકાસણી કચેરીના તમામ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર કરાવવાની રહેશે. ચકાસણી દરમિયાન જે કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ફરજ પર આવે તેઓને ઓફિસમાં પ્રવેશ આપવાનો રહેશે નહીં. તમામ પોલીસ સ્ટેશન અને કચેરીઓ ખાતે પણ આ જ રીતે અમલ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતોમાં માણસોના મૃત્યુ પણ નિપજે છે. NCRB દ્રારા પબ્લીશ થયેલ વર્ષ 2022ના રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ 1,71,100 વ્યકિતઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયા છે, જે પૈકી 77,876 એટલે કે 45.51% મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયા છે.

ગુજરાતમાં 2022માં કુલ 7634 માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયા છે, જે પૈકી 3754એટલે કે 49.17% મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. જેનુ મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ થયા છે. કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આખો પરિવાર વિખરાય જાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...