Wednesday, January 14, 2026

મુંબઇ IIT અભ્યાસ કરતા અમદાવાદના દર્શન સોલંકી આપઘાત કેસમાં SITએ કરી 19 વર્ષીય યુવકની ધરપકડ

spot_img
Share

મુંબઈ : મુંબઇ IIT માં અભ્યાસ કરતા દર્શન સોલંકી નામના અમદાવાદના વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. જે મામલે SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે SIT એ દર્શન સાથે ભણતા 19 વર્ષીય અરમાન ઇકબાલ ખત્રી નામના વિદ્યાર્થીની ધરપકડ કરી છે.દર્શન દ્વારા લખેલી સ્યુસાઇડમાં અરમાન ખત્રીનું નામ લખ્યું હતું જેના આધારે ધરપકડ કરવામાં આવી છે.

18 વર્ષીય દર્શન સોલંકીએ રવિવાર, 12 ફેબ્રુઆરી, 2023ના રોજ મુંબઇ IITના પવઈ કેમ્પસમાં હોસ્ટેલ બીલ્ડિંગના સાતમાં માળેથી કથિત રીતે છલાંગ લગાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. પ્રવેશના ત્રણ મહિનામાં બનેલી આ ઘટના પર પરિવારે કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, તે સમયે એક વિદ્યાર્થી જૂથે આક્ષેપ કર્યો હતો કે કેમ્પસમાં એસસી વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવના કારણે તે આત્મહત્યા કરવા પ્રેર્યો હતો.પરિવારજનોની માંગણીને લઈને SIT બનાવવામાં આવી હતી જે સમગ્ર મામલે તપાસ કરી રહી હતી.SIT ને થોડા દિવસ અગાઉ સ્યુસાઇડ નોટ પણ મળી હતી.જેમાં અરમાન ખત્રીનું નામ હોવાથી SIT દ્વારા અરમાનની ધરપકડ કરવામાં આવી છે.

દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમને થોડા દિવસ અગાઉ SIT દ્વારા બોલાવવામાં આવ્યા હતા. SIT એ અમને એક કાગળ બતાવ્યું હતું જેમાં અરમાન હેસ કિલ્ડ મી લખ્યું હતું. જેથી SIT દ્વારા અમને પૂછવામાં આવ્યું હતું કે આ અક્ષર દર્શનના છે પરંતુ અમને ઓળખી શક્યા નહોતા જેથી રાઇટિંગ એક્સપર્ટને બોલાવીને તપાસ કરતા દર્શનના અક્ષર હોવાનું જ સામે આવ્યું હતું SIT એ અરમાનની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ તપાસ બાદ મુંબઈ પોલીસ SITએ ખુલાસો કર્યો કે તેની આત્મહત્યાનું એક કારણ તેના પર કરવામાં આવેલી જાતિવાદી ટિપ્પણીઓ હતું. પોલીસ સુસાઈડ નોટમાં જેના નામ છે તે વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...