Monday, March 2, 2026

મુંબઇ IIT અભ્યાસ કરતા અમદાવાદના દર્શન સોલંકી આપઘાત કેસમાં SITએ કરી 19 વર્ષીય યુવકની ધરપકડ

spot_img
Share

મુંબઈ : મુંબઇ IIT માં અભ્યાસ કરતા દર્શન સોલંકી નામના અમદાવાદના વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. જે મામલે SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે SIT એ દર્શન સાથે ભણતા 19 વર્ષીય અરમાન ઇકબાલ ખત્રી નામના વિદ્યાર્થીની ધરપકડ કરી છે.દર્શન દ્વારા લખેલી સ્યુસાઇડમાં અરમાન ખત્રીનું નામ લખ્યું હતું જેના આધારે ધરપકડ કરવામાં આવી છે.

18 વર્ષીય દર્શન સોલંકીએ રવિવાર, 12 ફેબ્રુઆરી, 2023ના રોજ મુંબઇ IITના પવઈ કેમ્પસમાં હોસ્ટેલ બીલ્ડિંગના સાતમાં માળેથી કથિત રીતે છલાંગ લગાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. પ્રવેશના ત્રણ મહિનામાં બનેલી આ ઘટના પર પરિવારે કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, તે સમયે એક વિદ્યાર્થી જૂથે આક્ષેપ કર્યો હતો કે કેમ્પસમાં એસસી વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવના કારણે તે આત્મહત્યા કરવા પ્રેર્યો હતો.પરિવારજનોની માંગણીને લઈને SIT બનાવવામાં આવી હતી જે સમગ્ર મામલે તપાસ કરી રહી હતી.SIT ને થોડા દિવસ અગાઉ સ્યુસાઇડ નોટ પણ મળી હતી.જેમાં અરમાન ખત્રીનું નામ હોવાથી SIT દ્વારા અરમાનની ધરપકડ કરવામાં આવી છે.

દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમને થોડા દિવસ અગાઉ SIT દ્વારા બોલાવવામાં આવ્યા હતા. SIT એ અમને એક કાગળ બતાવ્યું હતું જેમાં અરમાન હેસ કિલ્ડ મી લખ્યું હતું. જેથી SIT દ્વારા અમને પૂછવામાં આવ્યું હતું કે આ અક્ષર દર્શનના છે પરંતુ અમને ઓળખી શક્યા નહોતા જેથી રાઇટિંગ એક્સપર્ટને બોલાવીને તપાસ કરતા દર્શનના અક્ષર હોવાનું જ સામે આવ્યું હતું SIT એ અરમાનની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ તપાસ બાદ મુંબઈ પોલીસ SITએ ખુલાસો કર્યો કે તેની આત્મહત્યાનું એક કારણ તેના પર કરવામાં આવેલી જાતિવાદી ટિપ્પણીઓ હતું. પોલીસ સુસાઈડ નોટમાં જેના નામ છે તે વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...