Wednesday, January 14, 2026

મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત, ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ થશે Jioની આ સેવા

spot_img
Share

મુંબઈ : મુકેશ અંબાણી ( Mukesh Ambani)ની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries) તેની 46મી એજીએમ શરૂ કરી છે. 46મી એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે Jio AirFiber લોન્ચ થશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગમાં જણાવ્યું કે ભારત બહુ ઝડપથી વિકસીત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને 2047 સુધીમાં સંપૂર્ણ વિકસીત દેશ બની જશે. તેમણે આજે પોતાની સ્પીચની શરૂઆતમાં જ ચંદ્રયાન-3ની સફળતાની વાત કરી હતી અને ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. રિલાયન્સના બોર્ડે ઈશા, આકાશ અને અનંત અંબાણીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્ત કરવાની ભલામણ કરી છે જ્યારે નીતા અંબાણી તેમાંથી નીકળી જવાના છે. નીતા અંબાણીએ પોતાનો વધુ સમય રિલાયન્સ ફાઉન્ડેશન માટે ફાળવવાનું નક્કી કર્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે. અત્રે જણાવાનું કે Jio એર ફાઈબર, 5જી નેટવર્ક અને સારી વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ આપશે. દૂરસંચારના ક્ષેત્રમાં Jio એર ફાઈબર આવવાથી અનેક ફેરફાર જોવા મળી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની Jio માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. Jio એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટું પગલું ભર્યું છે. Jio 5G નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.સમય આવી ગયો છે કે વેપારી સમુદાય સાથે મળીને કામ કરીએ જેથી સાથે મળીને આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત-સમૃદ્ધ ભારત બનાવી શકીએ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું કે 1 કરોડથી વધુ પરિસર અમારી ઓપ્ટિકલ ફાઈબર સર્વિસ Jio ફાઈબર સાથે જોડાયેલા છે. હજુ પણ લાખો પરિસર એવા છે જ્યાં વાયર કનેક્ટિવટી આપવી મુશ્કેલ છે. Jio એર ફાઈબર આ મુશ્કેલી સરળ બનાવશે. તેના દ્વારા અમે 20 કરોડ ઘરો અને પરિસરો સુધી પહોંચવાની આશા રાખી રહ્યા છીએ. Jio એર ફાઈબર આવવાથી દરરોજ જિયો 1.5 લાખ નવા ગ્રાહકોને જોડી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...