Sunday, April 19, 2026

મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત, ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ થશે Jioની આ સેવા

spot_img
Share

મુંબઈ : મુકેશ અંબાણી ( Mukesh Ambani)ની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries) તેની 46મી એજીએમ શરૂ કરી છે. 46મી એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે Jio AirFiber લોન્ચ થશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગમાં જણાવ્યું કે ભારત બહુ ઝડપથી વિકસીત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને 2047 સુધીમાં સંપૂર્ણ વિકસીત દેશ બની જશે. તેમણે આજે પોતાની સ્પીચની શરૂઆતમાં જ ચંદ્રયાન-3ની સફળતાની વાત કરી હતી અને ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. રિલાયન્સના બોર્ડે ઈશા, આકાશ અને અનંત અંબાણીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્ત કરવાની ભલામણ કરી છે જ્યારે નીતા અંબાણી તેમાંથી નીકળી જવાના છે. નીતા અંબાણીએ પોતાનો વધુ સમય રિલાયન્સ ફાઉન્ડેશન માટે ફાળવવાનું નક્કી કર્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે. અત્રે જણાવાનું કે Jio એર ફાઈબર, 5જી નેટવર્ક અને સારી વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ આપશે. દૂરસંચારના ક્ષેત્રમાં Jio એર ફાઈબર આવવાથી અનેક ફેરફાર જોવા મળી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની Jio માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. Jio એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટું પગલું ભર્યું છે. Jio 5G નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.સમય આવી ગયો છે કે વેપારી સમુદાય સાથે મળીને કામ કરીએ જેથી સાથે મળીને આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત-સમૃદ્ધ ભારત બનાવી શકીએ.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું કે 1 કરોડથી વધુ પરિસર અમારી ઓપ્ટિકલ ફાઈબર સર્વિસ Jio ફાઈબર સાથે જોડાયેલા છે. હજુ પણ લાખો પરિસર એવા છે જ્યાં વાયર કનેક્ટિવટી આપવી મુશ્કેલ છે. Jio એર ફાઈબર આ મુશ્કેલી સરળ બનાવશે. તેના દ્વારા અમે 20 કરોડ ઘરો અને પરિસરો સુધી પહોંચવાની આશા રાખી રહ્યા છીએ. Jio એર ફાઈબર આવવાથી દરરોજ જિયો 1.5 લાખ નવા ગ્રાહકોને જોડી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...