Wednesday, September 17, 2025

G20 summitને લઈને શાહરુખ ખાને PM મોદીની કરી ભરપૂર પ્રસંશા, કહ્યું – તમારા નેતૃત્ત્વમાં…

Share

Share

નવી દિલ્હી : ભારતમાં G20 સમિટના સફળ આયોજનને કારણે આ સમયે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. આ અંગે હવે બોલિવૂડના પઠાણ એટલે કે શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયામાં G20 India સમિટનો PM મોદીનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે દેશના PM નરેન્દ્ર મોદીને સમિટની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શાહરૂખ ખાને તેના એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર) દ્વારા PM મોદીને અભિનંદન પાઠવ્યા છે. જ્યાં તેમણે લખ્યું, હું PM નરેન્દ્ર મોદીને ભારતના G20 પ્રમુખપદની સફળતા માટે અને વિશ્વના લોકોના સારા ભવિષ્ય માટે રાષ્ટ્રો વચ્ચે એકતાને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન આપું છું. તેનાથી દરેક ભારતીયના હૃદયમાં આદર અને ગર્વની લાગણી જન્મી છે.

શાહરૂખ ખાને પોતાના એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર)માં એમ પણ લખ્યું કે, સર, તમારા નેતૃત્વમાં અમે એકલતામાં નહીં પરંતુ એકતામાં આગળ વધીશું…One Earth, One Family, One Future…” તમને જણાવી દઈએ કે, 9 અને 10 તારીખે આયોજિત આ સમિટ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. હવે તેના ફેન્સ શાહરૂખ ખાનની આ પોસ્ટના ખૂબ વખાણ કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘જવાન’ની સુપર સક્સેસનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી લીધી છે. ફિલ્મે પહેલા દિવસે જ 65 કરોડ રૂપિયાની કમાણી કરીને શાનદાર ઓપનિંગ કરી હતી. Sacnilk અનુસાર, આ ફિલ્મ પહેલા રવિવારે એટલે કે તેની રિલીઝના ચોથા દિવસે 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. જે બાદ તેનું કુલ કલેક્શન 282.73 રૂપિયા થઈ જશે. તમને જણાવી દઈએ કે ‘જવાન’એ ‘ગદર 2’ અને ‘પઠાણ’ના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...