Monday, March 2, 2026

G20 summitને લઈને શાહરુખ ખાને PM મોદીની કરી ભરપૂર પ્રસંશા, કહ્યું – તમારા નેતૃત્ત્વમાં…

spot_img
Share

નવી દિલ્હી : ભારતમાં G20 સમિટના સફળ આયોજનને કારણે આ સમયે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. આ અંગે હવે બોલિવૂડના પઠાણ એટલે કે શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયામાં G20 India સમિટનો PM મોદીનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે દેશના PM નરેન્દ્ર મોદીને સમિટની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શાહરૂખ ખાને તેના એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર) દ્વારા PM મોદીને અભિનંદન પાઠવ્યા છે. જ્યાં તેમણે લખ્યું, હું PM નરેન્દ્ર મોદીને ભારતના G20 પ્રમુખપદની સફળતા માટે અને વિશ્વના લોકોના સારા ભવિષ્ય માટે રાષ્ટ્રો વચ્ચે એકતાને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન આપું છું. તેનાથી દરેક ભારતીયના હૃદયમાં આદર અને ગર્વની લાગણી જન્મી છે.

શાહરૂખ ખાને પોતાના એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર)માં એમ પણ લખ્યું કે, સર, તમારા નેતૃત્વમાં અમે એકલતામાં નહીં પરંતુ એકતામાં આગળ વધીશું…One Earth, One Family, One Future…” તમને જણાવી દઈએ કે, 9 અને 10 તારીખે આયોજિત આ સમિટ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. હવે તેના ફેન્સ શાહરૂખ ખાનની આ પોસ્ટના ખૂબ વખાણ કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘જવાન’ની સુપર સક્સેસનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી લીધી છે. ફિલ્મે પહેલા દિવસે જ 65 કરોડ રૂપિયાની કમાણી કરીને શાનદાર ઓપનિંગ કરી હતી. Sacnilk અનુસાર, આ ફિલ્મ પહેલા રવિવારે એટલે કે તેની રિલીઝના ચોથા દિવસે 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. જે બાદ તેનું કુલ કલેક્શન 282.73 રૂપિયા થઈ જશે. તમને જણાવી દઈએ કે ‘જવાન’એ ‘ગદર 2’ અને ‘પઠાણ’ના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...