Saturday, January 24, 2026

G20 summitને લઈને શાહરુખ ખાને PM મોદીની કરી ભરપૂર પ્રસંશા, કહ્યું – તમારા નેતૃત્ત્વમાં…

spot_img
Share

નવી દિલ્હી : ભારતમાં G20 સમિટના સફળ આયોજનને કારણે આ સમયે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. આ અંગે હવે બોલિવૂડના પઠાણ એટલે કે શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયામાં G20 India સમિટનો PM મોદીનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે દેશના PM નરેન્દ્ર મોદીને સમિટની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શાહરૂખ ખાને તેના એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર) દ્વારા PM મોદીને અભિનંદન પાઠવ્યા છે. જ્યાં તેમણે લખ્યું, હું PM નરેન્દ્ર મોદીને ભારતના G20 પ્રમુખપદની સફળતા માટે અને વિશ્વના લોકોના સારા ભવિષ્ય માટે રાષ્ટ્રો વચ્ચે એકતાને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન આપું છું. તેનાથી દરેક ભારતીયના હૃદયમાં આદર અને ગર્વની લાગણી જન્મી છે.

શાહરૂખ ખાને પોતાના એકાઉન્ટ X (અગાઉ ટ્વિટર)માં એમ પણ લખ્યું કે, સર, તમારા નેતૃત્વમાં અમે એકલતામાં નહીં પરંતુ એકતામાં આગળ વધીશું…One Earth, One Family, One Future…” તમને જણાવી દઈએ કે, 9 અને 10 તારીખે આયોજિત આ સમિટ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. હવે તેના ફેન્સ શાહરૂખ ખાનની આ પોસ્ટના ખૂબ વખાણ કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘જવાન’ની સુપર સક્સેસનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી લીધી છે. ફિલ્મે પહેલા દિવસે જ 65 કરોડ રૂપિયાની કમાણી કરીને શાનદાર ઓપનિંગ કરી હતી. Sacnilk અનુસાર, આ ફિલ્મ પહેલા રવિવારે એટલે કે તેની રિલીઝના ચોથા દિવસે 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. જે બાદ તેનું કુલ કલેક્શન 282.73 રૂપિયા થઈ જશે. તમને જણાવી દઈએ કે ‘જવાન’એ ‘ગદર 2’ અને ‘પઠાણ’ના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...