Wednesday, January 14, 2026

કોહલીના બર્થ ડે પર ટીમ ઈન્ડિયાની વિરાટ જીત, રેકોર્ડની બરાબરી કરતા સચિને ટ્વિટ કરી કહ્યું…

spot_img
Share

કોલકત્તા : કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં 70,000 દર્શકોએ આજે ઐતિહાસિક મેચનો આનંદ માણ્યો હતો. 35માંં બર્થ ડે પર વિરાટ કોહલીની સેન્ચુરી બાદ સાઉથ આફ્રીકાને ઓલઆઉટ કરીને ભારતીય ટીમે 243 રનથી જીત મેળવી છે.ભારતે એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત નોંધાવી છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર રહેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે સેમિફાઈનલમાં ભારતનો સામનો ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે.

આજની મેચમાં સૌપ્રથમ વિરાટ કોહલીની રેકોર્ડ 49મી સદીના કારણે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ ભારતે ટોસ જીતીને 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. કોહલીએ અણનમ 101 રન બનાવ્યા અને સચિન તેંડુલકરના 49 ODI સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. શ્રેયસ અય્યરે 77 રન બનાવ્યા હતા.

જવાબમાં દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં 83 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી અને કુલદીપને 2-2 અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી. ભારતે 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં સતત આઠ મેચ જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2003 વર્લ્ડ કપમાં એક પછી એક 8 મેચ જીતી હતી.

સચિને ટ્વિટ કરી, કહ્યું-જલદી મારો રેકોર્ડ તોડશો
કોહલીની 49મી સદી પર સચિન તેંડુલકરે કહ્યું- ‘વેલ પ્લેયડ વિરાટ, મને 49મીથી 50મી સદી સુધી પહોંચવામાં 365 દિવસ લાગ્યા. હું આશા રાખું છું કે તમે થોડા દિવસોમાં 50 સદી ફટકારી શકશો અને મારો રેકોર્ડ તોડી શકશો…ખૂબ અભિનંદન.’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...