Monday, March 2, 2026

UPSC ફાઈનલનું પરિણામ જાહેર, 25 ગુજરાતી ઉમેદવારોને મળી સફળતા, જુઓ લિસ્ટ

spot_img
Share

નવી દિલ્હી : UPSC મેઇન્સ 2023નું અંતિમ પરિણામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 2 જાન્યુઆરી 2024 થી 9 એપ્રિલ 2024 સુધી ચાલેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ આ ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. UPSC દ્વારા 16 એપ્રિલ 2024 ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારોએ મેઇન્સની પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ આપ્યા હતા તે તમામ ઉમેદવારો UPSC કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર પરિણામ જોઈ શકે છે.

UPSCમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રૂપ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રૂપ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

UPSC દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં 1016 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જેમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જ્યારે જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો પાસ થયા છે. તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે.આ 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી UPSC ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા,કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે.

આ 25 ગુજરાતીઓએ UPSC પરીક્ષા કલિયર કરી

ઉત્તીર્ણ ઉમેદવાર અને તેમનો રેન્ક

1.વિષ્ણુ શશી કુમાર – 31
2.ઠાકુર અંજલિ અજય – 43
3.અતુલ ત્યાગી – 62
4.પટેલ મિતુલ કુમાર અશ્વિનભાઈ – 139
5.રમેશચંદ્ર વર્માં – 150
6.પટેલ અનિકેત કમલેશભાઈ – 183
7.ઝા સમીક્ષા સત્યેન્દ્ર – 362
8.પટેલ હર્ષ રાજેશ કુમાર – 392
9.ચંદ્રેશ શાંકલા – 432
10.કરણકુમાર પન્ના – 486
11.પટોળિયા રાજ – 488
12.દેસાઈ જૈનિલ – 490
13.કંચન માનસિંહ ગોહિલ – 506
14.સ્મિત નવનીત પટેલ – 562
15.અમરાની આદિત્ય સંજય – 702
16.દીપ રાજેશ પટેલ – 776
17.નીતિશ કુમાર – 797
18.ઘાંચી ગઝાલા – 825
19.અક્ષય દિલીપ લંબે – 908
20.કિશન કુમાર જાદવ – 923
21.પાર્થ યોગેશ ચાવડા – 932
22.પારગી કેયુર દિનેશભાઈ – 936
23.મીણા માનસી આર. – 946
24.ભોજ કેયુર મહેશભાઈ – 1005
25.ચાવડા આકાશ – 1007

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...