Wednesday, January 14, 2026

Budget 2025 : 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત

spot_img
Share

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું જેમાં મિડલ ક્લાસને મોટી રાહત આપતી જાહેરાત કરી. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. નાણામંત્રીએ આ જાહેરાત કરીને મિડલ ક્લાસને ખુશખુશાલ કરી નાખ્યો છે. હવે આ નવો ટેક્સ સ્લેબ હશે. ટેક્સપેયર્સની નજરો બજેટ પર જ હોય છે. આ વખતે નાણામંત્રીએ 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં એવી જાહેરાત કરી દીધી છે. હવે તમને નવા અને જૂના ટેક્સ રિજિમના ટેક્સ ક્લેબ વિશે જણાવીશું.

ન્યૂ ટેક્સ રિજિમ હેઠળ અત્યાર સુધી સાત લાખ રૂપિયાની વાર્ષિક આવક સુધી આવકવેરામાં રાહત હતી. હવે તે હેઠળ 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. એ જ રીતે જેમનો પગાર એક લાખ રૂપિયા સુધી હશે તેમણે કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. જો કે તેનાથી વધુ કમાણીવાળા ટેક્સના દાયરામાં આવશે. નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે તેનાથી 18 લાખની વાર્ષિક આવકવાળા લોકોને 70,000 રૂપિયાની ટેક્સ છૂટ અને 12 લાખ રૂપિયા વાર્ષિક આવકવાળા કરદાતાઓને 80,000 રૂપિયાની છૂટનો લાભ મળશે. આ પ્રસ્તાવ નાણાકીય વર્ષ 2025-26 એટલે કે એસેસમેન્ટ યર 2026-27 માટે છે.

મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 11 મોટી જાહેરાત……

1)12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ આવકવેરો લાગશે નહીં.
2)નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે લાવવામાં આવશે. આ ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ પછીથી સમજાવવામાં આવશે.
3)કેન્સરની દવાઓ સસ્તી થશે, છેલ્લા 4 વર્ષના IT રિટર્ન એકસાથે ભરવામાં આવશે.
4)વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
5)આવકવેરા ભરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવી છે.
6)આગામી છ વર્ષ સુધી દાળ અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
7)કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
8)બિહારમાં મખાના બોર્ડની રચના થશે, નાના ખેડૂતો અને વેપારીઓને તેનો ફાયદો થશે.
9)નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ, પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.
10)MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે, 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે.
11)સ્ટાર્ટઅપ માટે લોન રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...