Monday, November 17, 2025

રામ મંદિર માટે દુર્લભ શાલિગ્રામ શિલાઓ નેપાળથી અયોધ્યા પહોંચી, વૈદિક વિધિથી પૂજા કરાઈ

spot_img
Share

અયોધ્યા : નેપાળના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ જનકપુરથી અયોધ્યા લાવવામાં આવેલા દેવશિલાની પૂજા કરવામાં આવી હતી. નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાને જાનકી મંદિરના મહંતની પૂજા કરી હતી. વૈદિક વિધિ મુજબ પૂજા કર્યા બાદ શાલિગ્રામ શિલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવી હતી.

ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ગણાતી આ શિલાનું રામનગરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા શાલિગ્રામ શિલા નેપાળના જનકપુરથી યાત્રા કરીને બુધવારે મોડી રાત્રે રામનગરી પહોંચ્યા હતા. મોડી રાત્રે શાલીગ્રામ શિલાઓ યાત્રા હાઇવે પર પ્રવેશતાની સાથે જય શ્રી રામના નારા ગુંજવા લાગ્યા હતા. લોકોએ ફૂલોની વર્ષા કરી અને આતશબાજી પણ કરવામાં આવી. અયોધ્યા પહોંચતા જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા, આઉટગોઇંગ મેયર ઋષિકેશ ઉપાધ્યાય અને અન્ય બીજેપી નેતાઓએ શાલિગ્રામ શિલા પર પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું.

આ પછી સેંકડો વાહનોના કાફલા સાથે શાલિગ્રામ યાત્રા રામસેવક પુરમ વર્કશોપ પહોંચી હતી. અહીં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગીરી અને મહંત દિનેન્દ્ર દાસે શાલિગ્રામ શિલા પર પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રામસેવક પુરમ ખાતે ક્રેન દ્વારા શિલાઓને કારમાંથી દૂર કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...