Wednesday, January 14, 2026

હિન્ડનબર્ગ રિપોર્ટ બાદ પહેલી વાર અદાણીનું જોરદાર કમબેક, શેરોમાં જોવા મળી તેજી

spot_img
Share

મુંબઈ : હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના બાદ પહેલી વાર અદાણી જૂથના શેરોમાં સતત ધોવાણ પછી આજે આખરે થોડી સ્થિરતા જોવા મળી છે. એટલું જ નહીં અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર આજે 15 ટકા વધીને 1808 પર ચાલતો હતો. આ શેર તાજેતરમાં 1000ની નજીક જઈ આવ્યા પછી ઝડપથી સ્ટેબલ થઈ ગયો છે.હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના પગલે ગયા મહિનાની 25 તારીખથી અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ્સ સહિત તમામ 10 શેરો જોરદાર ઘટવા લાગ્યા હતા, પરંતુ આજે કેટલાક શેરો ગ્રીન ઝોનમાં જોવા મળ્યા છે.

સૌથી પહેલી વાત કરીએ ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં આવેલી તેજીની, તો છેલ્લે મળતી માહિતી મુજબ અદાણી એન્ટરપ્રાઈઝના શેરનો ભાવ 246.30 રૂપિયા ચડીને 1819 રૂપિયા થયો છે. એટલે કે 15.66 ટકાનો વધારો થયો. અદાણી પોર્ટના શેરના ભાવમાં પણ 22.55 રૂપિયા વધીને 568.20 રૂપિયા જોવા મળી રહ્યો છે. એટલે કે 4.17 ટકા વધ્યો છે. અદાણી વિલ્મરના ભાવ 4.99 ટકા ચડીને 398.90 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જી ફક્ત નીચે ચાલી રહ્યો છે જયારે અદાણી ટ્રાન્સમિશન 2.59 ટકાની તેજી સાથે 1289 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી સતત નકારાત્મક સ્થિતિ ઝેલી રહેલી અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં માર્કેટ ખુલતા જે તેજી જોવા મળી તેને જોતા રોકાણકારો પણ ખુશ થઈ ગયા. જો કે અદાણી પાવરના શેરમાં ઘટાડો જોવા મળ્યો. જે કારોબાર વધવાની સાથે લીલા નિશાન પર પહોંચી ગયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...