Wednesday, January 14, 2026

ગૌતમ અદાણીએ રોકેટ સ્પીડથી કરી ‘ઘરવાપસી’, 10 દિવસમાં અમીરોની યાદીમાં 35માં થી 22માં સ્થાને ફરી પહોંચ્યા

spot_img
Share

નવી દિલ્હી : છેલ્લા 10 દિવસમાં ગૌતમ અદાણીની સ્થિતિમાં રોકેટ સ્પીડથી સુધારો આવ્યો છે. હિન્ડનબર્ગ કંપનીના રિપોર્ટ બાદ 4થા નંબરના અમીર ક્રમેથી સીધા 35મા ક્રમે ધકેલાઈ ગયેલા ગૌતમ અદાણીએ છેલ્લા 10 દિવસમાં અમીરોની યાદીમાં ઉપર આવ્યાં છે. ગૌતમ અદાણીને અમીરોની યાદીમાં 22મું સ્થાન મળ્યું છે જે સુધારાનો સંકેત છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો ગૌતમ અદાણી ટૂંક સમયમાં ટોપ-10 અમીરોની યાદીમાં પાછા આવી શકે છે.

છેલ્લાં કેટલાય દિવસોથી અદાણી જૂથના અનેક શૅરો સતત અપર સર્કિટને સ્પર્શી રહ્યા છે અને જૂથની સંયુક્ત માર્કેટ કેપ 9 લાખ કરોડને પાર થઈ ગઈ છે. તેનો લાભ ગૌતમ અદાણીને પણ થયો છે. તેમની નેટવર્થમાં 1.97 અબજ ડોલરનો વધારો થયો છે. જોકે, હિન્ડનબર્ગના રિપોર્ટ પછી આ વર્ષે તેમની નેટવર્થમાં 66.5 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.

આ દરમિયાન, દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 11માં નંબરે છે. બુધવારે તેમની નેટવર્થમાં 170 મિલિયનનો વધારો થયો અને 83.6 બિલિયન સુધી પહોંચી ગયો. આ વર્ષે તેમની નેટવર્થમાં 3.51 બિલિયનનો ઘટાડો થયો છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 187 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. એલોન મસ્ક બીજા, જેફ બેઝોસ ત્રીજા, બિલ ગેટ્સ ચોથા, વોરેન બફે છઠ્ઠા, સ્ટીવ બાલ્મર સાતમા, લેરી પેજ આઠમા, કાર્લોસ સ્લિમ અને સર્ગેઈ બ્રિન દસમા ક્રમે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...