Monday, March 30, 2026

શું સ્કૂલવાળા નોટ-ચોપડી સ્કૂલમાંથી જ લેવા, એવી ફરજ પાડી રહ્યા છે ? તો ક્યાં કરશો ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરની કેટલીક ખાનગી શાળાના સંચાલકોએ હવે જાણે શિક્ષણનો જ વેપાર માંડ્યો હોય તેમ નોટબુક, ચોપડા અને શાળાના ગણવેશ સહિતની સામગ્રી સ્કૂલમાંથી જ લેવા એવી ફરજ પાડી રહ્યા છે, કેટલીક સ્કૂલોમાં નોટબુક, ચોપડા અને શાળાના ગણવેશ વેચવાની હાટડીઓ ખુલ્લેઆમ ધમધમે છે તો ક્યાંક સ્કૂલમાં જ ટ્યુશન ક્લાસ અને અન્ય પ્રવુતિઓ ચાલી રહી છે. જો આપની સ્કૂલમાં પણ આવી નફાખોરીની પ્રવૃતિ ચાલતી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શરૂ કરેલી હેલ્પલાઇન પર જાણ કરી શકો છો. શિક્ષણના નામે વેપાર કરનારી શાળાઓને નોટિસ, 10 હજારથી 5 લાખના દંડ સહિત શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે.

તાજેતરમાં ઘાટલોડીયાની કેલોરેક્સ સ્કુલમાં વાલીઓને સ્કૂલમાંથી જ નોટબુક અને સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવતા વાલીએ ફરિયાદ કરી હતી કે, જે પણ નોટબુક અને સ્ટેશનરી બહાર ઓછા ભાવે મળે છે તે જ ચીજવસ્તુ સ્કૂલમાં સ્ટોલ ઊભા કરીને મોંઘા ભાવે વેચવામાં આવી રહી છે. જે નોટબુક બહાર 25 રૂપિયામાં મળે છે તેના જ 65 રૂપિયા સ્કૂલ દ્વારા વસૂલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ખાનગી પ્રકાશનની બુક પણ લેવા માટે દબાણ કરાઈ રહ્યું છે.આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીનો આક્ષેપ છે કે ઘાટલોડીયાની આ સ્કૂલમાં વાલીઓને સ્કૂલમાંથી જ નોટબુક અને સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે.

એજ રિપોર્ટ મુજબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલ જણાવે છે કે, કોઈપણ સ્કૂલ આ પ્રકારે સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકે નહિં. અને કોઈપણ પ્રકારની કોમર્શિયલ પ્રવુત્તિ સ્કૂલમાં કરી શકાય નહિં. વાલીની ફરિયાદ મળતાં સ્કૂલનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આવી કોઈપણ સ્કૂલના સંચાલક પ્રવૃત્તિ કરતા જણાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે આવી કોઈ પ્રવૃતિ વાલીઓને ધ્યાનમાં આવે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કે હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકે છે.

શિક્ષણની પ્રવૃત્તિને સેવા સાથે સાંકળવામાં આવી છે. એટલે કે શાળામાં વિદ્યાર્થીને અભ્યાસ કરાવવો એ સેવાકીય પ્રવૃત્તિ છે ત્યાં કોઈપણ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ ન ચાલે. કારણ કે કોઈપણ શાળા વાલીને ખાનગી પ્રકાશનો સ્કૂલમાંથી ખરીદવા માટે આગ્રહ ન કરી શકે. સાથે સાથે કોઈપણ સ્કૂલ શાળામાં આ પ્રકારનો ધંધાકીય પ્રવૃત્તિ ન કરી શકે.જો આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો એ શાળા દંડને પાત્ર ઠરે છે અને જરૂર જણાય તો એ શાળાની માન્યતા રદ થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...