Monday, March 9, 2026

PM મોદીએ ગુજરાત CMની સાદગી અંગે ટ્વીટ કરી ભરપેટ કર્યા વખાણ, જાણો શું ટ્વીટમાં લખ્યું ?

spot_img
Share

નવી દિલ્હી : ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ ભાજપના અનેક ટોચના અધિકારીઓ કરી રહ્યા છે. PM મોદી દ્વારા પણ ગુજરાતના મુખ્યમંત્રીની સાદગીના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. PM મોદીએ તેમની આ સાદગીના ટ્વીટ કરીને તેમના વખાણ કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ જાહેર જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે, તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે. હું તેમના પુત્ર અનુજના ઝડપથી સ્વસ્થ થવા માટેની પ્રાર્થના કરૂ છું.

મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના દીકરાને બ્રેઈન સ્ટોક થતા મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ ખસેડાયા હતા. એર એમ્બ્યુલન્સનું ભૂપેન્દ્ર પટેલે ભાડુ ચૂકવ્યું હતુ સાથે જ તેઓ 4 થી 5 વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલની સાદગીના હવે PM નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલના પરિવાર દ્વારા એક પણ વાર સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં નથી આવતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં સરકારી એરક્રાફ્ટમાં અગાઉના મુખ્યમંત્રીના પરિવાર તો ઠીક પરંતુ પાઇલોટ પોતાની અંગત ઐયાશી માટે પણ ઉપયોગમાં લેવાયાના દાખલા બન્યા છે. તેવામાં ભુપેન્દ્ર પટેલ અને તેમનો પરિવાર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશના રાજકારણીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. ભુપેન્દ્ર પટેલ પોતાની સરળ અને સ્વચ્છ છબીના કારણે પણ ઓળખાય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...