Tuesday, September 16, 2025

PM મોદીએ ગુજરાત CMની સાદગી અંગે ટ્વીટ કરી ભરપેટ કર્યા વખાણ, જાણો શું ટ્વીટમાં લખ્યું ?

Share

Share

નવી દિલ્હી : ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ ભાજપના અનેક ટોચના અધિકારીઓ કરી રહ્યા છે. PM મોદી દ્વારા પણ ગુજરાતના મુખ્યમંત્રીની સાદગીના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. PM મોદીએ તેમની આ સાદગીના ટ્વીટ કરીને તેમના વખાણ કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ જાહેર જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે, તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે. હું તેમના પુત્ર અનુજના ઝડપથી સ્વસ્થ થવા માટેની પ્રાર્થના કરૂ છું.

મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના દીકરાને બ્રેઈન સ્ટોક થતા મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ ખસેડાયા હતા. એર એમ્બ્યુલન્સનું ભૂપેન્દ્ર પટેલે ભાડુ ચૂકવ્યું હતુ સાથે જ તેઓ 4 થી 5 વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલની સાદગીના હવે PM નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલના પરિવાર દ્વારા એક પણ વાર સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં નથી આવતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં સરકારી એરક્રાફ્ટમાં અગાઉના મુખ્યમંત્રીના પરિવાર તો ઠીક પરંતુ પાઇલોટ પોતાની અંગત ઐયાશી માટે પણ ઉપયોગમાં લેવાયાના દાખલા બન્યા છે. તેવામાં ભુપેન્દ્ર પટેલ અને તેમનો પરિવાર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશના રાજકારણીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. ભુપેન્દ્ર પટેલ પોતાની સરળ અને સ્વચ્છ છબીના કારણે પણ ઓળખાય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...