Monday, March 2, 2026

રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી ! અમદાવાદ સહિત દેશના 9 શહેરોમાં મકાનોનું વેચાણ વધ્યું, ભાવમાં 11 ટકાનો વધારો

spot_img
Share

નવી દિલ્હી : કોરોના મહામારી બાદ મકાન અને ફ્લેટનું વેચાણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.મતલબ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગ્રોથ નોંધાઈ રહ્યો છે. હાલમાં જ રિયલ એસ્ટેટ કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. દેશના આઠ મોટા શહેરોમાં મજબૂત માંગને કારણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 82,612 યુનિટ થયું છે. આ છ વર્ષમાં સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો આંકડો છે.એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આઠ મોટા શહેરોમાં રહેણાંક એકમોનું વેચાણ 73,691 યુનિટ હતું. નાઈટ ફ્રેન્કના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના બુધવારે (4 ઓક્ટોબર)ના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ આંકડો મહત્વપૂર્ણ છે કારણ કે ત્રિમાસિક વેચાણ છ વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી ગયું છે. ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મુંબઈમાં ઘરનું વેચાણ ચાર ટકા વધીને 22,308 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉ 21,450 યુનિટ હતું. આ છ વર્ષમાં સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો આંકડો છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અમદાવાદમાં હાઉસિંગનું વેચાણ રિપોર્ટિંગ સમયગાળામાં 3,887 યુનિટથી છ ટકા વધીને 4,108 યુનિટ થયું હતું. દિલ્હી-એનસીઆરમાં 11,014 યુનિટથી 27 ટકા વધીને 13,981 યુનિટ થયું છે. બેંગલુરુમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું વેચાણ 13,013 યુનિટથી નજીવું વધીને 13,169 યુનિટ થયું હતું, જ્યારે પુણેમાં વેચાણ 10,899 યુનિટથી 20 ટકા વધીને 13,079 યુનિટ થયું હતું.હૈદરાબાદમાં ઘરનું વેચાણ 7,900 યુનિટથી પાંચ ટકા વધીને 8,325 યુનિટ થયું હતું.

નાઈટ ફ્રેન્કે જણાવ્યું હતું કે, વધતી માંગને કારણે તમામ બજારોમાં વાર્ષિક ધોરણે ઘરની કિંમતોમાં પણ વધારો થયો છે. હૈદરાબાદમાં ઘરની કિંમતમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 11 ટકાનો વધારો થયો છે. કોલકાતામાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવમાં સાત ટકા, બેંગલુરુ અને મુંબઈમાં છ ટકા, પુણેમાં પાંચ ટકા, અમદાવાદ અને દિલ્હી-એનસીઆરમાં ચાર ટકા અને ચેન્નાઈમાં ત્રણ ટકાનો વધારો થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...