Wednesday, January 14, 2026

રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી ! અમદાવાદ સહિત દેશના 9 શહેરોમાં મકાનોનું વેચાણ વધ્યું, ભાવમાં 11 ટકાનો વધારો

spot_img
Share

નવી દિલ્હી : કોરોના મહામારી બાદ મકાન અને ફ્લેટનું વેચાણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.મતલબ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગ્રોથ નોંધાઈ રહ્યો છે. હાલમાં જ રિયલ એસ્ટેટ કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. દેશના આઠ મોટા શહેરોમાં મજબૂત માંગને કારણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 82,612 યુનિટ થયું છે. આ છ વર્ષમાં સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો આંકડો છે.એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આઠ મોટા શહેરોમાં રહેણાંક એકમોનું વેચાણ 73,691 યુનિટ હતું. નાઈટ ફ્રેન્કના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના બુધવારે (4 ઓક્ટોબર)ના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ આંકડો મહત્વપૂર્ણ છે કારણ કે ત્રિમાસિક વેચાણ છ વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી ગયું છે. ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મુંબઈમાં ઘરનું વેચાણ ચાર ટકા વધીને 22,308 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉ 21,450 યુનિટ હતું. આ છ વર્ષમાં સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો આંકડો છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અમદાવાદમાં હાઉસિંગનું વેચાણ રિપોર્ટિંગ સમયગાળામાં 3,887 યુનિટથી છ ટકા વધીને 4,108 યુનિટ થયું હતું. દિલ્હી-એનસીઆરમાં 11,014 યુનિટથી 27 ટકા વધીને 13,981 યુનિટ થયું છે. બેંગલુરુમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું વેચાણ 13,013 યુનિટથી નજીવું વધીને 13,169 યુનિટ થયું હતું, જ્યારે પુણેમાં વેચાણ 10,899 યુનિટથી 20 ટકા વધીને 13,079 યુનિટ થયું હતું.હૈદરાબાદમાં ઘરનું વેચાણ 7,900 યુનિટથી પાંચ ટકા વધીને 8,325 યુનિટ થયું હતું.

નાઈટ ફ્રેન્કે જણાવ્યું હતું કે, વધતી માંગને કારણે તમામ બજારોમાં વાર્ષિક ધોરણે ઘરની કિંમતોમાં પણ વધારો થયો છે. હૈદરાબાદમાં ઘરની કિંમતમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 11 ટકાનો વધારો થયો છે. કોલકાતામાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવમાં સાત ટકા, બેંગલુરુ અને મુંબઈમાં છ ટકા, પુણેમાં પાંચ ટકા, અમદાવાદ અને દિલ્હી-એનસીઆરમાં ચાર ટકા અને ચેન્નાઈમાં ત્રણ ટકાનો વધારો થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...