Tuesday, September 16, 2025

મુંબઈમાં લીધો માન્ચેસ્ટરનો ‘બદલો’, ટીમ ઈન્ડિયાની શમીની 7 વિકેટથી 12 વર્ષ બાદ ફાઈનલમાં એન્ટ્રી, PM મોદીએ શું કહ્યું ?

Share

Share

મુંબઇ : વિરાટ કોહલીની રેકોર્ડ બ્રેક સદી તથા શ્રેયસ ઐય્યરની તોફાની સદીની મદદથી ભારતે બુધવારે રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય નોંધાવીને આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી સેમીફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં એન્ટ્રી કરી દીધી છે. મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું અને આ નિર્ણય એકદમ સટીક સાબિત થયો. ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી.

ટીમ ઈન્ડિયાએ મુંબઇ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગ બંન્નેમાં કહેર વર્તાવ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 397 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઈટ થઈ ગઈ. આ રીતે ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ભારત 12 વર્ષ બાદ વિશ્વ કપની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. આજની મેચમાં શમીએ 7 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી. ન્યૂઝીલેન્ડ 70 રનથી હાર્યું. શમીને જબરદસ્ત પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

PM મોદીએ ટ્વીટ કર્યું, “આજની સેમિફાઇનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની ગઈ છે. આ રમતમાં અને વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની બોલિંગ આવનારી પેઢીઓ માટે ક્રિકેટ પ્રેમીઓ યાદ રાખશે. શામી સારી રીતે રમ્યો!” આ પહેલા વિરાટ કોહલીએ ODIમાં સદીની અડધી સદી પૂરી કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો, બાદમાં મોહમ્મદ શમીએ ફરીથી સાત વિકેટ લઈને શાનદાર બોલિંગ કૌશલ્ય બતાવ્યું હતું. શમીએ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 57 રનમાં સાત વિકેટ લઈને ભારતીય રેકોર્ડ બનાવ્યો. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ભારતીય બોલરે વનડે મેચમાં સાત વિકેટ લીધી હોય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...