Wednesday, January 21, 2026

મુંબઈમાં લીધો માન્ચેસ્ટરનો ‘બદલો’, ટીમ ઈન્ડિયાની શમીની 7 વિકેટથી 12 વર્ષ બાદ ફાઈનલમાં એન્ટ્રી, PM મોદીએ શું કહ્યું ?

spot_img
Share

મુંબઇ : વિરાટ કોહલીની રેકોર્ડ બ્રેક સદી તથા શ્રેયસ ઐય્યરની તોફાની સદીની મદદથી ભારતે બુધવારે રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય નોંધાવીને આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી સેમીફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં એન્ટ્રી કરી દીધી છે. મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું અને આ નિર્ણય એકદમ સટીક સાબિત થયો. ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી.

ટીમ ઈન્ડિયાએ મુંબઇ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગ બંન્નેમાં કહેર વર્તાવ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 397 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઈટ થઈ ગઈ. આ રીતે ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ભારત 12 વર્ષ બાદ વિશ્વ કપની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. આજની મેચમાં શમીએ 7 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી. ન્યૂઝીલેન્ડ 70 રનથી હાર્યું. શમીને જબરદસ્ત પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

PM મોદીએ ટ્વીટ કર્યું, “આજની સેમિફાઇનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની ગઈ છે. આ રમતમાં અને વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની બોલિંગ આવનારી પેઢીઓ માટે ક્રિકેટ પ્રેમીઓ યાદ રાખશે. શામી સારી રીતે રમ્યો!” આ પહેલા વિરાટ કોહલીએ ODIમાં સદીની અડધી સદી પૂરી કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો, બાદમાં મોહમ્મદ શમીએ ફરીથી સાત વિકેટ લઈને શાનદાર બોલિંગ કૌશલ્ય બતાવ્યું હતું. શમીએ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 57 રનમાં સાત વિકેટ લઈને ભારતીય રેકોર્ડ બનાવ્યો. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ભારતીય બોલરે વનડે મેચમાં સાત વિકેટ લીધી હોય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...