Saturday, January 24, 2026

TRB જવાનોને લઈને માઠા સમાચાર, વર્ષોથી એક જ સ્થળ પર ફરજ બજાવતા 6400 TRB જવાનોને છુટ્ટા કરવાનો આદેશ

spot_img
Share

ગાંધીનગર : ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ(TRB)ના જવાનોને લઈને એક માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં 9 હજારમાંથી 6400 જવાનની નિમણૂંક રદ કરવામાં આવ્યો છે.રાજ્યના DGP વિકાસ સહાયે તમામ જિલ્લાના વડાને DGPએ પત્ર લખી આદેશ આપી દીધો છે.આ તમામ 6400 TRB જવાનોને મુક્ત કરવાનો આદેશ DGP વિકાસ સહાયે કર્યો છે.

DGPના આદેશ અનુસાર ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (TRB)ના જવાનો પાંચ વર્ષથી કાર્યરત હશે, એવા જવાનોને 31-12-2023ના રોજ મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષથી કાર્યરત જવાનોને 30-11-2023 સુધી મુક્ત કરવા આદેશ અપાયો છે. આ સિવાય ત્રણ વર્ષથી વધુ સમય પૂર્ણ થયેલા હોય તેવા TRB જવાનોને 31-03-2024 સુધીમાં છૂટા કરાશે. TRB માનદ સભ્યોની નિમણૂંક બાબતે અત્રેની કચેરી તરફથી માહિતી મંગાવતા ધ્યાને આવેલ છે કે, આશરે 9000 TRB સભ્યો પૈકી આશરે 1100 સભ્યો 10 વર્ષનો સમય પૂર્ણ કરેલ છે, આશરે 3000 સભ્યોએ TRBમાં 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કરેલ છે અને આશરે 2300 TRB સભ્યો 3 વર્ષથી વધારેનો સમય પૂર્ણ કરેલ છે.

TRB ટ્રાફિક પોલીસની મદદમાં રહીને કામગીરી કરવાની હોય છે. એક જ વ્યક્તિ ખુબ જ લાબા સમયથી TRBના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય અને ઈચ્છનીય નથી. લાંબા સમયથી ફરજ બજાવતા TRB સભ્યોને મુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ અમદાવાદ, વડોદરા અને ડાંગ સિવાયના તમામ પોલીસ કમિશનર માટે અપાયા છે.

1. જે TRBના સભ્યોને 10 વર્ષ પૂર્ણ થયેલ છે તેઓને તા.30/11/2023 સુધીમાં TRBની કામગીરીમાંથી મુક્ત કરવા.
2. જે TRBના સભ્યોએ 5 વર્ષથી વધુ સમયગાળો થયેલ છે તેઓને તા.31/12/2023 સુધીમાં TRBની કામગીરીમાંથી મુક્ત કરવા.
3. જે TRBના સભ્યોને 3 વર્ષથી વધુ સમયપૂર્ણ થયેલ હોય તેવા TRBના સભ્યોને તા.31/03/2024 સુધીમાં TRBની કામગીરીમાંથી મુક્ત કરવા.
મુક્ત થયેલ TRBના સભ્યોની ફરીથી નિમણૂંક ન કરવા મુક્ત થવાને કારણે ખાલી રહેલી જગ્યાને ભરવા માટેની નિમણૂંક અંગેનું નિયમ મુજબની કાર્યવાહી સમયમર્યાદામાં કરવાનું પણ આદેશમાં કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...