Tuesday, October 14, 2025

14 જાન્યુઆરીથી મંદિરો માટે આ અભિયાન શરૂ કરવાનું PM મોદીનું આહવાન

Share

નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેક પહેલા PM નરેન્દ્ર મોદીએ રામનગરીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને દેશને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે દેશભરના લોકોને વિનંતી છે કે મકરસંક્રાંતિના દિવસથી દેશના નાના-નાના તીર્થ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે.

PM મોદીએ કહ્યું, ‘હું અયોધ્યાના ભાઈઓ અને બહેનોને કહું છું કે તમારે દેશ અને દુનિયાના અસંખ્ય મહેમાનો માટે તૈયાર રહેવું પડશે. હવે દેશ અને દુનિયામાંથી લોકો દરરોજ અયોધ્યા આવતા રહેશે. તેથી અયોધ્યાના લોકોએ રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ લેવો પડશે. આ સ્વચ્છ અયોધ્યાની જવાબદારી અયોધ્યાવાસીઓની છે.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

PM મોદીએ કહ્યું કે, ‘હું દેશભરના લોકોને વિનંતી કરું છું કે ભવ્ય રામ મંદિરના નિર્માણ સંદર્ભે, એક અઠવાડિયા પહેલા 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસથી સમગ્ર દેશમાં નાના-મોટા તમામ તીર્થસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. ભારતમાં આવેલા દરેક મંદિરોમાં 14મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ.PM મોદીએ ભારપૂર્વક કહ્યું, ‘ભગવાન રામ દરેકના આદર્શ છે. જ્યારે ભગવાનની તેમના જન્મ સ્થાનમાં ધામધૂમથી પધરામણી થતી હોય ત્યારે આપણા એક પણ મંદિરો, એક પણ તીર્થક્ષેત્ર ગંદા ના હોવા જોઈએ.

જણાવી દઈએ કે, 11 ડિસેમ્બર 1991ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી ભાજપની એકતા યાત્રા 14 જાન્યુઆરી 1992ના રોજ અયોધ્યા પહોંચી હતી. આ યાત્રામાં મુરલી મનોહર જોશીની સાથે પૂર્વ RSS પ્રચારક અને ગુજરાત ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા. એ સમયે PM મોદી જન્મ સ્થાને દર્શન કરવા ગયા હતા. ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી કે હવે મંદિરમાં વિરાજમાન થાય ત્યારે દર્શન કરવા આવશે.

25 સપ્ટેમ્બર 1990 ના રોજ જ્યારે ભાજપના અધ્યક્ષ તરીકે લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા શરૂ કરી હતી આ યાત્રાના મુખ્ય સારથી તરીકે PM મોદી રહ્યા હતા. એ સમયે તેઓ સંઘના પૂર્વ પ્રચારક અને ગુજરાત ભાજપના સંગઠન મહાસચિવ તરીકે કામ કરતા હતા. વર્ષ 1998માં મોદી મોરેશિયસમાં આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ફરન્સમાં ગયા હતા. ત્યાં તેમણે રામલલા અને તેમના જન્મસ્થળ અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...