Friday, November 28, 2025

કેન્દ્રીય બજેટ 2024 : બજેટમાં કઈ વસ્તુ સસ્તી અને કઈ વસ્તુ મોંઘી થઈ ? PM મોદીએ બજેટની કરી પ્રશંસા

spot_img
Share

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું બજેટ રજૂ કર્યું. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે કે સાત લાખ સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ભરવાનો નથી થતો. બજેટના ભાષણ દરમિયાન નાણામંત્રીએ છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારે કરેલા કામ અને સિદ્ધીઓનું વર્ણય કર્યું. સાથે જ આગામી પાંચ વર્ષમાં મોદી સરકારનું વિઝન શું છે તેનો પણ ચિતાર આપ્યો.

રેલવે ક્ષેત્રમાં 3 નવા પ્રકારના કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી. સાથે જ મધ્યમ વર્ગના ઘરના ઘરનું સપનું સાકાર કરવાનું વચન આપવામાં આવ્યું. પીએમ આવસ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં સરકારનું વધુ 2 કરોડ ઘર બનાવવાનું વિઝન છે. સાથે જ બાળકો અને મહિલાઓમાં રસીકરણને તેજ બનાવવામાં આવશે. આ સાથે હવાઈ મુસાફરીનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ બજેટમાં પ્રવાસનના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો. લક્ષદ્વીપના વિકાસ માટે ખાસ બજેટ ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઈ-વેહિકલને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો સરકાર કરી રહી છે.. વચગાળાનું બજેટ હોવાના કારણે આ બજેટમાં નવી કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી.

મોટી વાત તો એ છે કે, આ બજેટમાં કંઈ સસ્તુ અને કંઈ મોંઘુ થયુ નથી. કારણ કે આ વખત સરકારે કસ્ટમ ડ્યુટી કે એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. 2017 માં જીએસટી લાગુ થયા બાદ બજેટમાં માત્ર કસ્ટમ ડ્યુટી અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો છે, જે કેટલીક વસ્તુઓને લાગુ પડે છે. આ બજેટમાં ઉત્પાદનોની કિંમતમાં કોઈ ફેરફાર પણ કરવાની જાહેરાત કરાઈ નથી.

મોબાઈલ ફોન સસ્તા થશે; સોનું-ચાંદી મોંઘા થશે
આ વખતે સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. જેથી આગામી દિવસોમાં મોબાઈલ ફોન સસ્તા બની શકે છે. જોકે, સરકારે સોનાચાંદી પર ડ્યુટી વધારી છે. તેથી હવે તે ખરીદવું મોંઘુ બનશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 7 લાખની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ નહીં ચુકવવો પડે. આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. GST કલેક્શન બમણું થયું છે. GST સાથે પરોક્ષ કર પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બજેટ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો બજેટ સમાવેશી અને નવીન છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે. આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવશે – યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. હું નાણામંત્રી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...