Friday, November 28, 2025

નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે તૈયાર, રાજીનામુ આપ્યું, 8 જૂને સાંજે શપથવિધિની શક્યતા

spot_img
Share

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના અંતિમ પરિણામો આવી ગયા છે. એક્ઝિટ પોલમાં કરવામાં આવેલા અનુમાનોથી વિપરિત, ભારતીય જનતા પાર્ટી, 240 બેઠકો જીત્યા પછી, આ લોકસભા ચૂંટણીમાં બહુમતીથી ઓછી રહી. જો કે, NDA 292 બેઠકો સાથે સરકાર બનાવવાના તેના મજબૂત દાવા સાથે ઊભું છે. તે જ સમયે, તમામ મુખ્ય વિરોધ પક્ષોના ગઠબંધન ભારતે પણ 234 બેઠકો જીતી છે. ચૂંટણીના પરિણામો પછી, બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 17મી લોકસભાની છેલ્લી બેઠક યોજાઈ હતી જેમાં તેના વિસર્જનની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

મોદીએ અત્યાર સુધી હંમેશા પોતાની બહુમતીથી શાસન ચલાવ્યું છે, પછી તે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય કે દેશના વડાપ્રધાન તરીકે. પરંતુ હવે તેમને સાથીપક્ષોની કાંખઘોડીની જરૂર પડશે કારણ કે 272 બેઠકની બહુમતીમાં તેમને 32 બેઠકોની ઘટ પડે છે. અગાઉ ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીએ ગઠબંધન સરકારો ચલાવી હતી, પરંતુ તેમાં તેમને બહુ મુશ્કેલી પડી હતી અને સાથીપક્ષોના વાંધા-વચકા ઉકેલવામાં પરેશાન થઈ ગયા હતા. મોદીને હંમેશા એટલી બહુમતી મળી છે કે તેઓ છુટા હાથે કામ કરી શકે છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે.

મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે ત્યારે તે એક નવો રેકોર્ડ હશે. કારણ કે અત્યાર સુધીમાં માત્ર જવાહર લાલ નહેરુએ સળંગ ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. બીજા કોઈએ આટલા લાંબા સમય સુધી સત્તા જાળવી રાખી નથી. એનડીએને 292 બેઠકો મળી છે તેથી 272 બેઠકનો આંકડો તો પાર થઈ ગયો છે, પરંતુ હવે ઘણો બધો આધાર સાથીપક્ષો પર રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...