Friday, November 28, 2025

NEET ના રિઝલ્ટમાં સ્કેમ? ઉમેદવારો રિઝલ્ટ જોઈ ભડક્યા, NTA પર લગાવ્યા ગંભીર આરોપ

spot_img
Share

નવી દિલ્હી : ગઈકાલે, 4 જૂને, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પરીક્ષા 2024 નું પરિણામ જાહેર કર્યું. આ વખતે, NEET ના ઈતિહાસમાં પ્રથમ વખત, એવા 67 વિદ્યાર્થીઓ છે જેમણે ઓલ ઈન્ડિયા રેન્ક વનમાં કુલ 720માંથી 720 માર્ક્સ મેળવીને AIR 1 મેળવ્યો છે. ઘણા ઉમેદવારો અને શિક્ષણવિદોને આ સ્વીકાર્ય નથી. આ ઉપરાંત માર્કિંગ સ્કીમનું ગણિત પણ અગમ્ય હોવાનું કહેવાય છે.

પરિણામના થોડા કલાકો પછી, આ વર્ષની NEET પરીક્ષાની સોશિયલ મીડિયા પર ગંભીર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. આમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે NEET પરીક્ષામાં 67 ઉમેદવારોએ એકસાથે 720 માર્ક્સ કેવી રીતે મેળવ્યા? આ ટોપર્સમાંથી 8 ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્રના હોવાનું કહેવાય છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શું તેના પેપર બોર્ડની પરીક્ષાઓ કરતા સરળ બનાવવામાં આવ્યા હતા જેના કારણે આટલા ઉમેદવારો ટોપ થયા કે પછી કંઈક બીજું છે. ચાલો જાણીએ કે એવા કયા મુદ્દા છે જેના દ્વારા NEET ની પારદર્શિતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

લોકોએ રિઝલ્ટની પીડીએફને સોશિયલ મીડિયા એક્સ પર શેઅર કરી છે, સાથે જ જે વસ્તુને લઈ વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેને પોઈન્ટ આઉટ પણ કર્યો છે. વિદ્યાર્થીઓ અને NEET સાથે જોડાયેલા નિષ્ણાંતો તેને જોઈને રોષે ભરાયા છે. તેઓએ કહ્યું કે આ રિઝલ્ટ જોઈને એવું લાગી રહ્યું છે કે, આખા સેન્ટરમાં જ કંઈક સેટિંગ કરવામાં આવ્યુ હતુ કે શુ? લોકો NEETની પરીક્ષામાં હેરાફેરી થઈ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર PDFનો જે ભાગ શેઅર કરવામાં આવી રહ્યો છે, તે NEET રોલ નંબરની સિરીઝ છે. તેમાં સિરિયલ નંબર 62 થી 69 સુધીના નીટ રોલ નંબર, નામ, માર્ક્સ અને રેન્કને લોકોએ હાઇલાઇટ કર્યા છે. હકીકતમાં અહીં જે NEET રોલ નંબરની સિરીઝ છે તે એક જેવા જ છે એટલે કે, એક જ પરીક્ષા કેન્દ્રમાંથી છે. સાથે જ તેમાં કોઈપણ વિદ્યાર્થીના નામમાં સરનેમ પણ નથી. 8માંથી 6 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. જ્યારે અન્ય બેને 719, 718 માર્ક્સ મળ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે આવું કઈ રીતે થઈ શકે?

એક નિષ્ણાંતે ટ્વિટર પર લખ્યું કે, એક જ રોલ નંબર સીરીઝ 2307010xxx જ્યારે, વિદ્યાર્થીના નામમાં કોઈ સરનેમ નથી અને બધાને 720માં 720 માર્ક્સ? NTAને આના પર સ્પષ્ટતા આપવી જોઈએ. નિષ્ણાંતોએ કહ્યું કે NEETમાં 720માંથી 716 નંબર મળી શકે છે. પરંતુ અહીં 719 અને 718 માર્ક્સ કઈ રીતે મળ્યાં? નંબર આપવામાં ક્યા પ્રકારનું ગણિત લાગુ કરવામાં આવ્યું છે?

ત્યારબાદ NTAએ એક નોટિસ જાહેર કરી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક બાળકોએ પરીક્ષામાં ટાઈમ લોસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેને ધ્યાનમાં રાખતા તેઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યાં છે. તેથી નંબર 718 અને 719 પણ હોઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...