Friday, January 16, 2026

NEET ના રિઝલ્ટમાં સ્કેમ? ઉમેદવારો રિઝલ્ટ જોઈ ભડક્યા, NTA પર લગાવ્યા ગંભીર આરોપ

spot_img
Share

નવી દિલ્હી : ગઈકાલે, 4 જૂને, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પરીક્ષા 2024 નું પરિણામ જાહેર કર્યું. આ વખતે, NEET ના ઈતિહાસમાં પ્રથમ વખત, એવા 67 વિદ્યાર્થીઓ છે જેમણે ઓલ ઈન્ડિયા રેન્ક વનમાં કુલ 720માંથી 720 માર્ક્સ મેળવીને AIR 1 મેળવ્યો છે. ઘણા ઉમેદવારો અને શિક્ષણવિદોને આ સ્વીકાર્ય નથી. આ ઉપરાંત માર્કિંગ સ્કીમનું ગણિત પણ અગમ્ય હોવાનું કહેવાય છે.

પરિણામના થોડા કલાકો પછી, આ વર્ષની NEET પરીક્ષાની સોશિયલ મીડિયા પર ગંભીર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. આમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે NEET પરીક્ષામાં 67 ઉમેદવારોએ એકસાથે 720 માર્ક્સ કેવી રીતે મેળવ્યા? આ ટોપર્સમાંથી 8 ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્રના હોવાનું કહેવાય છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શું તેના પેપર બોર્ડની પરીક્ષાઓ કરતા સરળ બનાવવામાં આવ્યા હતા જેના કારણે આટલા ઉમેદવારો ટોપ થયા કે પછી કંઈક બીજું છે. ચાલો જાણીએ કે એવા કયા મુદ્દા છે જેના દ્વારા NEET ની પારદર્શિતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

લોકોએ રિઝલ્ટની પીડીએફને સોશિયલ મીડિયા એક્સ પર શેઅર કરી છે, સાથે જ જે વસ્તુને લઈ વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેને પોઈન્ટ આઉટ પણ કર્યો છે. વિદ્યાર્થીઓ અને NEET સાથે જોડાયેલા નિષ્ણાંતો તેને જોઈને રોષે ભરાયા છે. તેઓએ કહ્યું કે આ રિઝલ્ટ જોઈને એવું લાગી રહ્યું છે કે, આખા સેન્ટરમાં જ કંઈક સેટિંગ કરવામાં આવ્યુ હતુ કે શુ? લોકો NEETની પરીક્ષામાં હેરાફેરી થઈ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર PDFનો જે ભાગ શેઅર કરવામાં આવી રહ્યો છે, તે NEET રોલ નંબરની સિરીઝ છે. તેમાં સિરિયલ નંબર 62 થી 69 સુધીના નીટ રોલ નંબર, નામ, માર્ક્સ અને રેન્કને લોકોએ હાઇલાઇટ કર્યા છે. હકીકતમાં અહીં જે NEET રોલ નંબરની સિરીઝ છે તે એક જેવા જ છે એટલે કે, એક જ પરીક્ષા કેન્દ્રમાંથી છે. સાથે જ તેમાં કોઈપણ વિદ્યાર્થીના નામમાં સરનેમ પણ નથી. 8માંથી 6 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. જ્યારે અન્ય બેને 719, 718 માર્ક્સ મળ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે આવું કઈ રીતે થઈ શકે?

એક નિષ્ણાંતે ટ્વિટર પર લખ્યું કે, એક જ રોલ નંબર સીરીઝ 2307010xxx જ્યારે, વિદ્યાર્થીના નામમાં કોઈ સરનેમ નથી અને બધાને 720માં 720 માર્ક્સ? NTAને આના પર સ્પષ્ટતા આપવી જોઈએ. નિષ્ણાંતોએ કહ્યું કે NEETમાં 720માંથી 716 નંબર મળી શકે છે. પરંતુ અહીં 719 અને 718 માર્ક્સ કઈ રીતે મળ્યાં? નંબર આપવામાં ક્યા પ્રકારનું ગણિત લાગુ કરવામાં આવ્યું છે?

ત્યારબાદ NTAએ એક નોટિસ જાહેર કરી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક બાળકોએ પરીક્ષામાં ટાઈમ લોસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેને ધ્યાનમાં રાખતા તેઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યાં છે. તેથી નંબર 718 અને 719 પણ હોઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...