Saturday, November 8, 2025

IND vs SA Final: ભારતે રચ્યો ઈતિહાસ, 17 વર્ષ બાદ ફરી એક વાર વર્લ્ડ ચેમ્પિયન, દેશવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા

spot_img
Share

બાર્બાડોસ : રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે ICC ટી20 વિશ્વકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપી ટ્રોફી કબજે કરી છે. ભારતીય ટીમે 11 વર્ષ બાદ કોઈ ICC ટ્રોફી જીતી છે. છેલ્લે ભારત 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત્યું હતું. ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 176 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી.

મેચની છેલ્લી 5 ઓવરમાં ભારતીય ટીમ લગભગ મેચ હારી ગઈ હતી ત્યારથી લઈને રોહિત શર્મા એન્ડ ટીમે શાનદાર પ્રદર્શન ભારતને જીતનો તાજ પહેરાવી દીધો છે.રોહિત સેનાએ બારબાડોસની ધરતી પર ભારતીય ઘ્વજ લહેરાવી જાહેર કરી દીધું છે કે રોહિત સેના છે વર્લ્ડ ચેમ્પિયન. એટલું જ નહીં પોસ્ટ મેચ શોમાં વિરાટ કોહલીએ જાહેરાત કરી દીધી છે કે આ તેનો છેલ્લો ICC ટી20 વર્લ્ડ કપ હતો. તે ભાવુક થઈ ગયો હતો અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. આની સાથે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ ટીમે ઈતિહાસમાં ચોથી વાર કોઈ વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે ICC ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રને હાર આપી છે. આ જીત સાથે જ 140 કરોડ ભારતીયોને જશ્ન મનાવવાનો મોકો મળ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...