Sunday, March 29, 2026

અમદાવાદમાં પહેલી વખત છાણમાંથી બનાવાયેલ ગણેશજીની 2000 મૂર્તિનું વેચાણ થયું

spot_img
Share

અમદાવાદ : 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના દિવસે મોટી સંખ્યામાં લોકો સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવાની સાથે ઘરોમાં પણ ગણપતિની સ્થાપના કરે છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે છે. મૂર્તિકાર વિજયભાઈના જણાવ્યા અનુસાર, આ વખતે દરેક આયોજક દ્વારા ગણપતિ ઉત્સવમાં ઈકોફ્રેન્ડલી મૂર્તિ એટલે માટીના ગણપતિજીની મૂર્તિ તો લોકો લાવે જ છે, પરંતુ આ વખતે ગાયના છાણમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિનો પણ ઘણાં લોકોએ ઓર્ડર આપ્યો છે.

તેઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ વખતે પહેલીવાર છાણમાંથી બનેલી 2 હજારથી વધુ મૂર્તિના ઓર્ડર મળ્યા છે. વધુમાં આ મૂર્તિ ખરીદનારને રોપા પણ ફ્રીમાં અપાઈ રહ્યા છે. આ મૂર્તિની કિંમત પીઓપી અને માટીની મૂર્તિની તુલનામાં ઓછી છે. છાણની મૂર્તિઓ અડધાથી એક ફૂટની ઊંચાઈની બની રહી છે, જેની કિંમત એક હજારથી દોઢ હજાર છે.મૂર્તિ બનાવવા માટે છાણની સાથે માટી તેમ જ ભૂસાનો ઉપયોગ કરાય છે. ત્યારબાદ મેદા લાકડીની મદદથી મૂર્તિનો આકાર અપાય છે. એક મૂર્તિ 12થી 15 દિવસમાં તૈયાર થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...