Tuesday, September 16, 2025

ચારધામ યાત્રાએ જવાનું છે તો બનાવો સાત દિવસનો પ્લાન, શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી

Share

Share

દહેરાદુન : શનિવારથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી માર્ગદર્શિકા જાહેર કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બધા તીર્થ હિમાલયના ઉંચાઈવાળા વિસ્તારમાં આવેલા છે. આથી શ્રધ્ધાળુઓ ઠંડી, ઓછી હવાનું દબાણ અને ઓછા ઓકિસજનથી અસર પામી શકે છે. આ સ્થિતિમાં સલાહ આપવામાં આવી છે કે શ્રધ્ધાળુઓ પોતાની યાત્રાની યોજના કમ સે કમ સાત દિવસો માટે બનાવે. આથી પહાડના વાતાવરણમાં ખુદને ઢાળવામાં મદદ મળશે.

રોજ 5-10 મીનીટ શ્વાસનો વ્યાયામ કરો, અને 20-30 મિનિટ ટહેલવા નીકળો. જો આપની વય 55 વર્ષ કે તેથી વધુ છે કે હૃદયની બિમારી, અસ્થમા, ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેસર છે તો યાત્રા પહેલા તબિયતની તપાસ જરૂર કરાવો.

આટલી વસ્તુઓ સાથે રાખવી…
ગરમ કપડા, સ્વેટર, મફલર, જેકેટ, હાથમોજા, વરસાદથી બચવા રેઈનકોટ, છત્રી, તબીયતની તપાસ માટે પલ્સ ઓકસીનીટર, થર્મોમીટર, આપના ડોકટરના નંબર સાથે રાખો.

યાત્રા દરમ્યાન ધ્યાન રાખો…
યાત્રા પહેલા હવામાનનો રિપોર્ટ જરૂર ચેક કરો.યાત્રામાં 2 લીટર લિકવીડ અને પૌષ્ટીક આહાર જરૂર લો.પગપાળા ચાલી રહેલા લોકોએ દર એક કલાકમાં અને વાહનથી ચડતા લોકોએ દર બે કલાકે 5-10 મિનીટનો બ્રેક લેવો જોઈએ. શરાબ, કેફિનયુકત ડ્રીંક,ઊંઘની ગોળી, ધુમ્રપાનથી દુર રહેવુ તબિયત સાથે જોડાયેલી કોઈપણ પરેશાની પર 104 હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરવો.

હેલીકોપ્ટર સેવાની બુકીંગ માટે વેબસાઈટ જાહેર…
ચારધામમાં હેલિકોપ્ટર સેવાની બુકીંગ માટે IRCTC તરફથી પોતાની વેબસાઈડ WWW. heliyatra. irctc.co.in જાહેર કરાઈ છે. હેલી સેવા ટિકીટ બુકીંગના નામે પ્રયોગ થઈ રહેલી આઠ બોગસ વેબસાઈટને એસટીએફએ બંધ કરાવી છે. પોલીસે અપીલ કરી છે કે વેબસાઈટની ચકાસણી કર્યા વિના હેલી સેવા ટિકીટ બુક ન કરાવવી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...