Tuesday, April 28, 2026

સોસાયટી-ફ્લેટમાં રખડતા કુતરાઓને ખાવાનું આપી શકાય? કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી, નિયમો જાણી લો

spot_img
Share

નવી દિલ્હી : હાલ દેશભરમાં પાળેલા અને રખડતા કુતરાઓ કરડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે અને કેટલાંક કિસ્સામાં મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે. કેટલાંક લોકો જીવ દયા દાખવી સોસાયટી કે ફ્લેટ કે કોઇ જાહેર સ્થળે રખડતાં કુતરાઓને જમવાનું આપે છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લઇને કેન્દ્ર સરકારે આ મામલે એક એડવાઈઝરી જારી કરી છે. બોમ્બે હાઈકોર્ટે આવા જ એક મામલે સીવુડ્સ સોસાયટી અને ડોગ લવર્સની અરજીનો નિકાલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ મહિને 10 માર્ચે કેન્દ્ર સરકારે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં શ્વાન પ્રેમીઓ માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિયમોની કલમ – 20માં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ સોસાયટી કે ફ્લેટમાં રખડતા પ્રાણીઓને ખવડાવવાની જવાબદારી એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશન અથવા જે-તે વિસ્તારની સ્થાનિક સંસ્થાની રહેશે. મકાન -ફ્લેટના માલિકો અને કુતરાની દેખભાળ કરનાર લાકો વચ્ચે વિવાદ થવાની સ્થિતિમાં 7 સભ્યોની પશુ કલ્યાણ સમિતિની રચના કરાશે અને તેમનો નિર્ણય અંતિમ હશે.

કેન્દ્ર સરકારે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રખડતા પશુઓને ખવડાવવા માટેની જગ્યા નકકી કરવી જોઇએ. આ સ્થળ બાળકોના રમતગમતની જગ્યાથી દૂર હોવું જોઈએ. ઉપરાંત આ સ્થળ સોસાયટી કે ફ્લેટની અંદર જવાના અને બહાર નીકળવાના દરવાજાથી પણ દૂર હોવું જોઈએ તેમજ સીડી અને એવી જગ્યાઓથી પણ દૂર હોવું જોઇએ જ્યાં બાળકો અને વૃદ્ધો જવાની શક્યતા વધારે હોય છે. તેમાં વધુમાં જણાવાયું છે કે, ડોગ ફીડરોએ ખાતરી કરવી જોઈએ કે સોસાયટી-ફ્લેટના રહેવાસીઓ એસોસિએશને બનાવેલી માર્ગદર્શિકા–નીતિનિયમોનું ઉલ્લંઘન કરે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...