Monday, November 17, 2025

સોસાયટી-ફ્લેટમાં રખડતા કુતરાઓને ખાવાનું આપી શકાય? કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી, નિયમો જાણી લો

spot_img
Share

નવી દિલ્હી : હાલ દેશભરમાં પાળેલા અને રખડતા કુતરાઓ કરડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે અને કેટલાંક કિસ્સામાં મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે. કેટલાંક લોકો જીવ દયા દાખવી સોસાયટી કે ફ્લેટ કે કોઇ જાહેર સ્થળે રખડતાં કુતરાઓને જમવાનું આપે છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લઇને કેન્દ્ર સરકારે આ મામલે એક એડવાઈઝરી જારી કરી છે. બોમ્બે હાઈકોર્ટે આવા જ એક મામલે સીવુડ્સ સોસાયટી અને ડોગ લવર્સની અરજીનો નિકાલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ મહિને 10 માર્ચે કેન્દ્ર સરકારે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં શ્વાન પ્રેમીઓ માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિયમોની કલમ – 20માં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ સોસાયટી કે ફ્લેટમાં રખડતા પ્રાણીઓને ખવડાવવાની જવાબદારી એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશન અથવા જે-તે વિસ્તારની સ્થાનિક સંસ્થાની રહેશે. મકાન -ફ્લેટના માલિકો અને કુતરાની દેખભાળ કરનાર લાકો વચ્ચે વિવાદ થવાની સ્થિતિમાં 7 સભ્યોની પશુ કલ્યાણ સમિતિની રચના કરાશે અને તેમનો નિર્ણય અંતિમ હશે.

કેન્દ્ર સરકારે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રખડતા પશુઓને ખવડાવવા માટેની જગ્યા નકકી કરવી જોઇએ. આ સ્થળ બાળકોના રમતગમતની જગ્યાથી દૂર હોવું જોઈએ. ઉપરાંત આ સ્થળ સોસાયટી કે ફ્લેટની અંદર જવાના અને બહાર નીકળવાના દરવાજાથી પણ દૂર હોવું જોઈએ તેમજ સીડી અને એવી જગ્યાઓથી પણ દૂર હોવું જોઇએ જ્યાં બાળકો અને વૃદ્ધો જવાની શક્યતા વધારે હોય છે. તેમાં વધુમાં જણાવાયું છે કે, ડોગ ફીડરોએ ખાતરી કરવી જોઈએ કે સોસાયટી-ફ્લેટના રહેવાસીઓ એસોસિએશને બનાવેલી માર્ગદર્શિકા–નીતિનિયમોનું ઉલ્લંઘન કરે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...