Thursday, September 18, 2025

અમેરિકન સંસદમાં સંબોધન દરમ્યાન ‘મોદી-મોદી’ની ગૂંજ, મોદીનો ઓટોગ્રાફ લેવા સેનેટર્સ ટોળે વળ્યા, જુઓ PHOTOS

Share

Share

અમદાવાદ : ભારતના PM મોદીના અમેરિકા પ્રવાસનો બીજો દિવસ શાનદાર રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે શુભેચ્છા મુલાકાત બાદ PM સ્ટેટ વિઝિટ માટે ફરી વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા.

વ્હાઈટ હાઉસમાં શાનદાર સ્વાગત અને દ્વિપક્ષીય વાતચીત બાદ PM મોદી યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા US Capitol પહોંચ્યા હતા. PM મોદીના 1 કલાકના સંબોધનમાં લગભગ 10 વાર તેમને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું,સંબોધન બાદ ઘણા સેનેટર્સ મોદીનો ઓટોગ્રાફ લેવા ટોળે વળેલા જોવા મળ્યા હતા.

PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કર્યું. આ દરમિયાન અમેરિકન સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ તેમના ભાષણની શરૂઆત આભાર વ્યક્ત કરી હતી. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર બોલતા તેમણે કહ્યું – AI એટલે અમેરિકા અને ભારત.

તમને જણાવી દઈએ કે 9 વર્ષમાં 8મી વાર PM મોદી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ બીજીવાર યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા પહોંચ્યા હતા. PM બન્યા બાદ મોદી 12મી વાર કોઈ દેશની સંસદને સંબોધિત કરી રહ્યા હતા. આ પહેલા PM મોદી ભૂટાન, નેપાળ અને ઓસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રની સંસદને સંબોધિત કરી ચૂકયા છે.

આ અગાઉ 22 જૂનના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે વડાપ્રધાન મોદી અમેરિકાના વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ભારતીય સમુદાય-અમેરિકન સરકારે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વ્હાઈટ હાઉસના આંગણે મોદી-બાઈડને ભારત અને અમેરિકાના સંબંધો પર સંબોધન પણ આપ્યું હતું. ભારતીય સમય અનુસાર સાંજે 8.30 કલાકે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. અને ત્યાર બાદ તેઓ મીડિયા સામે પણ હાજર રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...