Thursday, March 5, 2026

મુંબઈમાં લીધો માન્ચેસ્ટરનો ‘બદલો’, ટીમ ઈન્ડિયાની શમીની 7 વિકેટથી 12 વર્ષ બાદ ફાઈનલમાં એન્ટ્રી, PM મોદીએ શું કહ્યું ?

spot_img
Share

મુંબઇ : વિરાટ કોહલીની રેકોર્ડ બ્રેક સદી તથા શ્રેયસ ઐય્યરની તોફાની સદીની મદદથી ભારતે બુધવારે રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય નોંધાવીને આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી સેમીફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં એન્ટ્રી કરી દીધી છે. મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું અને આ નિર્ણય એકદમ સટીક સાબિત થયો. ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી.

ટીમ ઈન્ડિયાએ મુંબઇ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગ બંન્નેમાં કહેર વર્તાવ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 397 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઈટ થઈ ગઈ. આ રીતે ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ભારત 12 વર્ષ બાદ વિશ્વ કપની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. આજની મેચમાં શમીએ 7 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી. ન્યૂઝીલેન્ડ 70 રનથી હાર્યું. શમીને જબરદસ્ત પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

PM મોદીએ ટ્વીટ કર્યું, “આજની સેમિફાઇનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની ગઈ છે. આ રમતમાં અને વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની બોલિંગ આવનારી પેઢીઓ માટે ક્રિકેટ પ્રેમીઓ યાદ રાખશે. શામી સારી રીતે રમ્યો!” આ પહેલા વિરાટ કોહલીએ ODIમાં સદીની અડધી સદી પૂરી કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો, બાદમાં મોહમ્મદ શમીએ ફરીથી સાત વિકેટ લઈને શાનદાર બોલિંગ કૌશલ્ય બતાવ્યું હતું. શમીએ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 57 રનમાં સાત વિકેટ લઈને ભારતીય રેકોર્ડ બનાવ્યો. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ભારતીય બોલરે વનડે મેચમાં સાત વિકેટ લીધી હોય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...